- એરપોર્ટ ઉપર કેજરીવાલની હાજરીમાં મોદી.. મોદીના નારા લાગ્યા
આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ આજે આજે વડોદરામાં છે. અને તેઓ વડોદરા ખાતે કોઈ જાહેરાત કરનાર છે. તેઓ આજે વડોદરા એરપોર્ટ ખાતે ઉતાર્યા ત્યારે લોકોએ મોદી.. મોદી.. ના નારા લગાવ્યા હતા. શ્રી શ્રી રવિશંકર મહારાજના કેટલાક અનુયાયીઓ એરપોર્ટ પર હતા તેઓએ અરવિંદ કેજરીવાલને જોઈને મોદી મોદી ના નારા લગાવતા એક તબક્કે વાતાવરણ પણ રાજકીય રંગે રંગાઈ ગયું હતું. જો કે આમ આદમી પાર્ટીના સમર્થકોએ પણ વળતો કોઈ જવાબ આપ્યો ન હતો અને તેઓ અરવિંદ કેજરોવાલ સાથે ગાડીમાં પ્રેસ કોન્ફરન્સ સ્થળે અને ત્યાર બાદ મિટિંગ માટે રવાના થયા હતા.
(ઈનપુટ : જીતેન્દ્ર રાજપૂત, વડોદરા)