Published by : Anu Shukla
- અભ્યાસ લોન ત્વરીત મળે તેવી વિનતી કરતો પત્ર મુખ્ય મંત્રીને લખ્યો.
ગુજરાત રાજયના ઘણા વિદ્યાર્થીઓ વિદેશમાં જઈ અભ્યાસ કરવાની ઈચ્છા ધરાવી રહ્યાં છે.આવા વિદ્યાર્થીઓને ત્વરીત લોન મળે તે અંગે વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ મુખ્યમંત્રીને પત્ર લખેલ છે.
હાલમા વિદેશ અભ્યાસ કરવા જતા વિદ્યાર્થીઓને વિઝા મળી જાય છે છતાં ગુજરાત સરકારની લોન ન મળતા વિદેશ જવાનું અટવાતું હોય છે. આવી પરિસ્થિતીમાં વિદ્યાર્થીઓની સમસ્યાને વાચા આપવા અને તેનુ નિરાકરણ લાવવા સૂરત વરાછાનાં ધારાસભ્ય કુમાર કાનાણીએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખી વિનતી કરી છે કે વિદેશમાં અભ્યાસ કરવા જવા માગતા વિદ્યાર્થીઓને સત્વરે સરકારે લોન આપી તેમના અભ્યાસમાં બનતી સહાય કરવી જોઈએ એમ પત્રમાં જણાવાયું છે.
