હવે ભણવા પર ધ્યાન આપવું જોઈએ, રજા નહીં મળે વાક્યનું ઊંધુ અર્થઘટન….
પોલીસે રાતોરાત ટીમો બનાવી દાહોદ-પંચમહાલ ખૂંદી નાખ્યા…દેવગઢ બારિયા તાલુકાના મેન્દ્રા ગામની અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળામાંથી ચાર બાળકી શુક્રવારની રાત્રે રહસ્યમય સંજોગોમાં ગુમ થયા બાદ અપહરણની આશંકાથી દાહોદ-પંચમહાલ જિલ્લાની પોલીસે રાતોરાત ટીમો બનાવીને બંને જિલ્લા ખુંદી નાખ્યા હતાં… જોકે, પોલીસના સતત 11 કલાકના પ્રયાસોથી બે કિમી દૂર આવેલા ભુવાલ ગામેથી ચારેય બાળકીઓ સહિસલામત મળી આવતાં શિક્ષકો અને વાલિઓએ હાશકારા ની લાગણી અનુભવી હતી.
આ ધટના અંગે વિગતે જોતાં સપ્તાહની રજા બાદ ત્રણ દિવસ પહેલાં જ અભ્યાસ માટે આવેલી ત્રણ છાત્રાઓએ શિક્ષકે ભણવા ઉપર ધ્યાન આપવું પડશે અને હવે કોઇને રજા નહીં મળે એમ જણાવ્યુ હતુ પરંતું વાતનું ઉંધુ અર્થઘટન કાઢીને ત્રણ છાત્રા ઓ શાળામાંથી નીકળી ગઈ હતી. ઘટનાની ગંભીરતા પારખીને પોલીસે રાતોરાત અપહરણનો ગુનો પણ દાખલ કર્યો હતો રજા નથી મળવાની તેમ માની છાત્રા ઓ કોઇને કહ્યા વગર ઘરે પોતાના ગામ જવા નીકળી ગઇ હતી. બાળકીઓ પોલીસ સાથે એટલી લાગણીમાં આવી ગઇ હતી કે ઘરે જવાના બદલે પોલીસ સાથે આવવાની તથા રહેવાની જીદ તેમના વાલીઓ તથા શાળાનાં સ્ટાફની હાજરીમાં કરી હતી . છાત્રાઓ એટલેકે ત્રણ બાળકીઓ પોલિસને મળી તે પહેલાં રેણુકા પટેલ નામની મહિલાને મળી હતી. રાત્રી નાં સમયે આ ત્રણ બાળકીઓ અહી શું કરે છે તેવો વિચાર રેણુકા બહેન ને આવતાં તેમણે પૂછ પરછ ક્રરી હતી.આ વિસ્તારમા રાત્રે પ્રાણીઓનો ભય હોય રેણુકા બહેન છાત્રાઓને પોતાના ઘરે લાવી જમાડી સૂવડાવી દીધા હતાં.. આમ હિંસક રીંછ જેવા જાનવરો થી બાળકીઓને બચાવનાર રેણુકા બહેન પટેલ નુ પોલિસ જાહેર સન્માન કરશે એમ દાહોદ નાં જિલ્લા પોલીસ વડા બળદેવ મીનાએ જણાવ્યુ હતું