Published By : Parul Patel
વાલિયા મામલતદાર કચેરી ખાતે મામલતદાર માધવી મિસ્ત્રીની ઉપસ્થિતિમાં જન અધિકાર કેમ્પ યોજાયો હતો.
ઝઘડિયા પ્રાંત કચેરીના સબ ડિવિઝનના ક્ષેત્રમાં આવતા વિવિધ ગામોમાં જન અધિકાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. વાલિયા-ઝઘડિયા અને નેત્રંગ તાલુકામાં આજરોજ જન અધિકાર કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો.

વાલિયા મામલતદાર કચેરી ખાતે મામલતદાર માધવી મિસ્ત્રીની અધ્યક્ષતામાં જન અધિકાર કેમ્પનું દીપ પ્રાગટ્ય થકી પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કેમ્પમાં આધાર કાર્ડ સંબંધિત બાબતો, રેશનકાર્ડ સંબંધિત બાબતો, સમાજ સુરક્ષા સંબંધિત બાબતો અને જમીનોમાં વારસાઈને લગતી બાબતોની અરજીઓ લઇને અરજીઓનું નિકાલ કરવામાં આવ્યું હતું. અને લોકોને આ કેમ્પનો લાભ લેવા અપીલ કરવામાં આવી હતી.