તાજેતરમાં વાલિયા-વાડી માર્ગની કામગીરી હાથ ધરવામાં આવી હતી પરંતુ હાલમાં ખાબકેલ ભારે વરસાદને પગલે માર્ગનું ધોવાણ થતા બિસ્માર બન્યો છે જેને પગલે મસમોટા ખાડાઓએ રસ્તા ઉપર અસ્તિત્વ જમાવ્યું છે ત્યારે વાલિયા તાલુકાના ડહેલી ગામના રામજીમંદિર પાસે રહેતા દેવેન્દ્રસિંહ ગરિયા પોતાની કાર લઇ વાલિયાથી ડહેલી ખાતે જઈ રહ્યા હતા તે વેળા વાલિયા-ડહેલી વચ્ચે માર્ગ ઉપર પડી ગયેલ ખાડો બચાવવા જતા કાર નીચે ઉતરી જતા અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતમાં કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો જયારે કારને નુકશાન થયું હતું ત્યારે માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું સ્થાનિકો બુમરાણ મચાવી રહ્યા છે અને વહેલી તકે ડહેલી ગામ પાસે કીમ નદી પરનો બિસ્માર પુલ તેમજ માર્ગનું પેચવર્ક કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.