Home Election 2022 વિજય મુહૂર્તમાં કાર્ય કરવાનું કેટલું ફળદાયી!?

વિજય મુહૂર્તમાં કાર્ય કરવાનું કેટલું ફળદાયી!?

0
  • વિજય મુહૂર્તમાં ચૂટણીનાં ફોર્મ ભરનાર ઉમેદવાર હારી જાય તેનું શું…?
  • ઉત્તમ શુભ મુર્હૂત માં લગ્ન કરનારના છૂટા છેડા થાય તેનું શું…?

હાલના ચૂંટણીનાં દિવસોમા રાજકીય પક્ષોના ઉમેદવારો વારંવાર જ્યોતિષીઓને નમન કરીને, વિનતી કરીને વિજય મુર્હૂત અંગેની જાણકારી મેળવવા તલ પાપડ થઈ જતાં હોય છે. કેટલાક ઉમેદવારો તો જ્યોતિષ આચાર્યો પાસે શુભ મુહૂર્ત ઉપરાંત ઉમેદવાર માટે ફોર્મ ભરવા જતાં સમયે કયા રંગના કપડા પહેરવા તે અંગે પણ જાણકારી મેળવી લેતા હોવાનાં ઘણા કિસ્સા જાણવા મળી રહ્યાં છે. ત્યારે ઍક બાબત નકકી છે કે જો ચૂટણી યોજાય તો ઍક કરતા વધૂ ઉમેદવાર હોય અને સાથે એ બાબત પણ નક્કી છે કે જીત તો કોઇ એક્જ ઉમેદવારની થવાની છે. હવે શુભ મુર્હૂત માં ઉમેદવારી પત્ર ભરનાર અને સાથેજ શુકનિયાળ રંગના વસ્ત્ર ધારણ કરનાર ઉમેદવારનો પરાજય થાય તો તેને માટે કોણ જવાબદાર…? જ્યાં કોઇની જીત હોય ત્યાં કોઇની હાર પણ હોય તે નક્કી જ હોય છે જૉકે એ વાત નક્કી છે કે સફળતાં નો શ્રેય લેવા લાઈન પડી જાય છે પરંતું નિષ્ફળતાનો ટોપલો પોતાના માથે લેનાર ભડવીર ભાગ્યેજ જણાય…. સાથેજ લગ્ન પણ ખુબ ઉત્તમ મુર્હૂત માં યોજાય, તમામ ગ્રહોને શાંત કરવામાં આવે…. જ્યોતિષ, કર્મકાંડી પંડિત, સગા સબંધીઓ સુખી લગ્ન જીવન માંટે આશીર્વાદ આપે… તેમ છતાં… થોડાજ.. દિવસોમાંજ… ખબર.. આવે કે.. છૂટા છેડા થઈ ગયા…આ કેવું….?

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version