Sunday, June 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateNation Updateવિવાદ : તેલંગાણામાં પોસ્ટર લગાવાતા રાજકારણ ગરમાયું, 'ભાજપમાં જોડાવો અને કલંક દૂર...

વિવાદ : તેલંગાણામાં પોસ્ટર લગાવાતા રાજકારણ ગરમાયું, ‘ભાજપમાં જોડાવો અને કલંક દૂર કરો..

Published by : Vanshika Gor

તેલંગાણાના મુખ્યમંત્રી કેસીઆરની દીકરી કે.કવિતાની આજે ઈડી લીકર પોલિસી કૌભાંડ કેસમાં પૂછપરછ કરી રહી છે. આ દરમિયાન તેલંગાણામાં ભાજપ નેતાઓ પર પોસ્ટરના માધ્યમથી કટાક્ષ કરાયા છે. ખરેખર હૈદરાબાદમાં અનેક પોસ્ટર લગાવાયા છે જેમાં એ અલગ અલગ પાર્ટીઓના નેતાઓનું ઉદાહરણ આપવામાં આવ્યું છે જેમના પર ભાજપમાં જોડાયા બાદ કોઈ એજન્સીએ દરોડા પાડ્યા નથી.

ભાજપમાં જોડાતા જ કલંક દૂર થયા

પોસ્ટરના માધ્યમથી ભાજપ પર આકરા પ્રહારો કરાયા હતા. પોસ્ટરમાં એક તરફ બતાવાયું છે કે અન્ય પક્ષોમાંથી ભાજપમાં જોડનારા નેતાઓ પર હવે કોઈ કલંક નથી અને કોઈપણ દરોડા પડી રહ્યા નથી. બીજી બાજુ બીઆરએસ એમએલસી કે.કવિતાને પોસ્ટરમાં બતાવાયા છે અને તેમની છબિ સાફ દર્શાવાઈ છે.

સિંધિયા, સરમા સહિત અનેક ભાજપ નેતાઓના પોસ્ટર

હૈદરાબાદના માર્ગો પર લગાવેલા પોસ્ટરમાં કેન્દ્રીયમંત્રી અને એમપીથી નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા, આસામના હિમંતા બિશ્વ સરમા, મહારાષ્ટ્રના નેતા નારાયણ રાણે, પ.બંગાળના નેતા સુવેન્દુ અધિકારીનો ફોટો લગાવાયો છે. પોસ્ટરમાં બતાવાયું છે કે આ બધા નેતા ઈડી-સીબીઆઈની રેડ બાદ બીજી પાર્ટીઓમાંથી ભાજપમાં જોડાઈ ગયા અને તેમના તમામ કલંક દૂર થઈ ગયા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!