Sunday, June 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateNation Updateવિશ્વની સૌથી ઊંચી શિવ પ્રતિમાનું લોકાર્પણ....

વિશ્વની સૌથી ઊંચી શિવ પ્રતિમાનું લોકાર્પણ….

Published by : Rana Kajal

  • નાથદ્વારામાં આજથી શિવજીની 369 ફૂટ ઊંચી મૂર્તિનો લોકાર્પણ ઉત્સવ…

શિવજીની આ ભવ્ય મૂર્તિ બનાવવામાં 10 વર્ષ જેટલો સમય લાગ્યો છે. આ પ્રતિમા ગુડગાંવના નરેશ કુમાવતે તૈયાર કરી છે તથા આ માટે 50 હજારથી વધુ કારીગરોની મદદ લેવાઇ છે.વિશ્વની સૌથી ઊંચી શિવ પ્રતિમા લોકાર્પણ કરવાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. રાજસ્થાનના રાજસમંદ જિલ્લામાં નાથદ્વારામાં 369 ફૂટની શિવ પ્રતિમાનો ઉદ્ઘાટન ઉત્સવ 29 ઓક્ટોબરથી 6 નવેમ્બર દરમિયાન યોજાશે. શ્રીનાથજીની પવિત્ર ભૂમિ પર વિશ્વની સૌથી ઊંચી શિવ પ્રતિમા ‘વિશ્વાસ સ્વરૂપમ’ના ઉદ્ઘાટનની તૈયારીઓ ચાલી રહી છે. જેનું વજન લગભગ 3000 ટન છે. શિવ પ્રતિમાના ઉદ્ઘાટન ઉત્સવ દરમિયાન ગુજરાતના કથાકાર મોરારી બાપુ રામ કથાનું પઠન કરશે. નવ દિવસ સુધી લોકાર્પણ ઉત્સવ ચાલશે.

નાથદ્વારામાં ભગવાન શિવજીની વિશ્વ સ્વરૂપમ, વિરાટ, ભવ્ય 369 ફૂટ ઉંચી ભવ્ય પ્રતિમાનું નિર્માણ કરવામાં આવ્યું છે. રાજસમંદમાં નાથદ્વારાના ગણેશ ટેકરી વિસ્તારમાં આ ભવ્ય પ્રતિમાનું નિર્માણ કરાયું છે. આજથી આ ભવ્ય પ્રતિમાના લોકાર્પણ કાર્યક્રમની શરૂઆત મોરારિબાપુની રામ કથાથી થશે. 9 દિવસ ચાલનારા આ ભવ્ય સમારોહમાં CM અશોક ગેહલોત સહિત અનેક રાજ્યોના CM અને સેલિબ્રિટિઓ ભાગ લેશે. મૂર્તિ નિર્માણ પામી તે સ્થાન પદમ ઉપવનના નામથી ઓળખાશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!