Published By : Patel Shital
- વિશ્વના 66 થી વધુ દેશો હિંદુ ધર્મને ધર્મ જ માનતા નથી…
તાજેતરમાં ‘ભારતનાં બંધારણના સાત દાયકા’ નામના સેમિનારમાં કેન્દ્રના વિદેશ રાજ્ય મંત્રી મીનાક્ષી લેખીએ જણાવ્યું હતું કે હાલમા વિશ્વના 66 થી વધુ દેશો હિંદુ ધર્મને ધર્મ તરીકે માનવા તૈયાર નથી. મંત્રી મીનાક્ષી લેખીએ એમ પણ જણાવ્યું કે ભારતનાં બંધારણમાં ધર્મ નિરપેક્ષતાને મહત્વ આપવામાં આવ્યું છે તો દુનિયાના કેટલાક દેશો હિંદુ ધર્મને ધર્મ તરીકે પણ સ્વીકારવા તૈયાર નથી. મંત્રીએ એમ પણ જણાવ્યું કે ભારતમાં મોટી સંખ્યામાં હિંદુઓ છે સાથે જ વિશ્વના લગભગ તમામ દેશોમાં હિંદુ વસવાટ કરી રહ્યા છે. નેપાળનું ઉદાહરણ આપતા તેમણે જણાવ્યું કે એક સમયે નેપાળ હિંદુ રાષ્ટ્ર હતું. પરંતું રાજ પરિવારમાં થયેલ હત્યાના બનાવો બાદ લોકશાહી સ્થાપિત થઈ સાથે જ હિંદુ રાષ્ટ્રના દરજ્જાને દુર કરવામાં આવ્યું જો કે હજી પણ ભારત પછી સૌથી વધુ હિંદુઓ નેપાળમાં વસવાટ કરી રહ્યા છે. નોંધવું રહ્યું કે વિશ્વના તમામ દેશોમાં હિંદુ ધર્મને માન્યતા ન મળવા પર ચીફ જસ્ટિસ જે. એસ. વર્માએ મહત્વના ચુકાદામાં જણાવ્યું હતું કે હિંદુ ધર્મ જીવન જીવવાની રીત છે. જે અદભુત છે જેનો સ્વીકાર કરવો રહ્યો.