Thursday, July 24, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeInternationalવિશ્વમા કોરોના પ્રસરતા મંદીના એંધાણ : સેન્સેકસમા 635 પોઇન્ટનુ ગાબડુ...

વિશ્વમા કોરોના પ્રસરતા મંદીના એંધાણ : સેન્સેકસમા 635 પોઇન્ટનુ ગાબડુ…

  • વિદેશી રોકાણકારોની રૂ. 1119 કરોડની વેચવાલી
  • રોકાણકારોની સંપત્તિમાં રૂ. 4.44 લાખ કરોડનું ધોવાણ : નિફટી 186 પોઇન્ટ તુટયો

ચીન, અમેરિકા, દક્ષિણ કોરિયા સહિતના અન્ય દેશોમાં કોરોનાએ પુનઃ માથું ઉંચકતા વિશ્વમાં આર્થિક કટોકટી ઉદભવવા સાથે મંદીના એંધાણ પ્રબળ બનતા વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારમાં પણ ગાબડા નોંધાયા હતા.
વૈશ્વિક સ્તરે કોરોના પ્રસરતા તેની ચપેટમાં ભારત પણ આવશે તો પુનઃ આર્થિક ગતિવિધીઓ ખોરવાઈ જવાના ભય પાછળ ચોમેરથી આવેલ વેચવાલીના દબાણે સેન્સેકસ ૬૩૫ પોઇન્ટ તુટીને ૬૧૦૬૭ ની સપાટીએ ઊતરી આવ્યો હતો. જયારે નિફટી ૧૮૬ પોઇન્ટ ગબડીને ૧૮૧૯૯ના મથાળે બંધ રહ્યો હતો.
સેન્સેકસમાં બોલેલા કડાકાના પગલે આજે રોકાણકારોની સંપત્તિમાંથી (બીએસઇ માર્કેટ કેપ) રૂ. ૪.૪૪ લાખ કરોડનું ધોવાણ થતા અંતે રૂ. ૨૮૨.૯૫ લાખ કરોડ રહ્યું હતું. વિદેશી રોકાણકારોએ આજે રૂ. ૧૧૧૯ કરોડની વેચવાલી હાથ ધરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!