Home Bharuch વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં ભવ્ય રેલી…

વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં ભવ્ય રેલી…

0

Published By : Aarti Machhi

વર્ષ 1994માં અમેરિકામાં પ્રથમ વખત આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારથી 9 ઓગષ્ટનો દિવસ સમગ્ર વિશ્વમાં આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આદિવાસી સમુદાયોના લોકો, આદિવાસી સંગઠનો વિશ્વભરમાં સામૂહિક રીતે આદિવાસી દિવસની ઉજવણીનું આયોજન કરે છે ત્યારે ભરૂચ શહેરના આદિવાસી સમાજ દ્વારા વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે સાંસ્કૃતિક પગપાળા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ રેલી શહેરના ઇદગાહ ગ્રાઉન્ડથી નીકળી હતી અને રેલ્વે સ્ટેશન સ્થિત બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી પૂર્ણ કરવામાં આવી હતી.જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version