Friday, September 12, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateCrimeસુરત બાદ વ્યાજખોરના ત્રાસથી વડોદરાના બિલ્ડરનો આપઘાતનો પ્રયાસ…

સુરત બાદ વ્યાજખોરના ત્રાસથી વડોદરાના બિલ્ડરનો આપઘાતનો પ્રયાસ…

Published by : Rana Kajal

વ્યાજખોરોના ત્રાસથી સમગ્ર રાજ્યમાં આપઘાતના બનાવો વધ્યા છે ત્યારે વડોદરામાં એક બિલ્ડરે આપઘાતનો પ્રયાસ કર્યો છે. વડોદરામાં બિલ્ડર દ્વારા ઊંઘની ગોળીઓ ખાઈ આત્મહત્યાની કોશિશ કરી હતી. બિલ્ડર જયેશ પારેખને હોસ્પિટલમાં દાખલ કરાયા છે વડોદરાના બિલ્ડરના માથે 3 કરોડ જેટલું દેવું થઈ જતા આર્થિક સંકળામણ ઉભી થઇ હતી. જેના પગલે બિલ્ડરે ગોત્રીમાં પોતાની ઓફીસમાં 30 થી વધુ ઊંઘની ગોળીઓ ખાધી હતી. વ્યાજખોરોની ધકધામકીથી કંટાળી આત્મહત્યાની કોશિશ કરી હોવાનું જાણવા મળ્યું છે. તેઓએ સુસાઇડ નોટ પણ લખી છે જેમાંં લક્ષ્મણ ભરવાડ, રમેશ પ્રજાપતિ નામના શખ્સો દ્વારા ધાકધમકી આપતા આત્મહત્યા કરવાનું પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે.

જમીન માલિક અને વ્યાજખોરોના ત્રાસને કારણે આત્મહત્યા કરવા મજબૂર થયા હતા. લક્ષ્મણ ભરવાડને બે કરોડ થી વધુ રકમ ચૂકવી હોવા છતાં ત્રાસ આપે છે તેવો આરોપ લગાવવામાં આવ્યો છે. જમીન માલિક રમેશ પ્રજાપતિ બાંધકામ ચાલુ હોવા છતાં સાઈટ લોક કરી દઈ બાનાખત થવા દેતા નહીં હોવાનો આક્ષેપ કરાયો છે. રમેશ પ્રજાપતિ ભાજપ ના નેતા દલસુખ પ્રજાપતિના ભાઈ છે. રૂપિયા ઉઘરાવવા માટે ઓફીસ અને ઘરે અચાનક આવી ધાકધમકી આપતા હોવાના પણ આક્ષેપ કરાયા છે હાલ બિલ્ડર સારવાર હેઠળ છે.

( ઇનપુટ : જીતેન્દ્ર રાજપુત , વડોદરા )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!