- અમદાવાદમાં રાઈસ મિલના માલિક પાસેથી કરોડોનું વ્યાજ વસૂલ કર્યાં….
- ત્રણ વ્યાજખોરોની આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા ધરપકડ કરાઈ….
- એક આરોપી કોંગ્રેસનાં હોદ્દેદાર અને નિવૃત્ત પોલીસ અધિકારીનો પુત્ર …..હેલ્થ કેર કંપનીના સીઈઓની પણ ધરપકડ કરવામાં આવી ..
વ્યાજખોરો ઘ્વારા કરવામાં આવતું આર્થિક શોષણ તમામ સીમાડા વટાવી ચૂક્યું છે. જેમકે અમદાવાદની રાઈસ મીલના માલીક પાસે કરોડો રૂપિયાનું વ્યાજ વસુલ કરવામાં આવ્યું હોવાનો ચોંકાવનારો કિસ્સો સપાટી પર આવ્યો છે વધુમા વ્યાજખોરોમાં ઍક કૉંગ્રેસના હોદ્દેદાર અને નિવૃત્ત પોલિસ અધિકારીનો પૂત્ર અને સાથેજ હેલ્થ કેર કંપનીના સીઈઓની પણ પોલિસે અટક કરી છે.
અમદાવાદ રાઈસ મીલના માલીક પાસે વ્યાજખોરોએ કરોડો રૂપિયાનું વ્યાજ વસુલ કર્યુ હતું.જે અંગેની ચોકાવનારી વિગતો જોતા ફરિયાદી જીગીસ પટેલે આ બાબતે આર્થિક ગુના નિવારણ શાખામાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે કોંગ્રેસનાં હોદ્દેદાર જયેન્દ્રસિંહ પરમાર, હેમાંગ પંડિત અને હેલ્થ કેર કંપનીના સીઈઓ નિરાલી શાહની ધરપકડ કરવામાં આવી હતી. સાથે જ આ ગુનામાં ફરાર અન્ય ત્રણ આરોપી વિજય ઠક્કર, મુન્ના ભરવાડ અને જાગૃત રાવલની શોધખોળ પોલિસે હાથ ધરી છે.
હાલમા ક્રાઈમ બ્રાન્ચે ત્રણ આરોપીઓને કસ્ટડીમાં રાખ્યા છે. આ ત્રણેય આરોપીઓ વાઈટ કોલર ક્રિમિનલ છે કે જેઓએ 3.78 કરોડની સામે 9 કરોડ 95 લાખ વસુલ કર્યા છે. સાથે જ બીજા 3.36 કરોડ બાકી રૂપિયાની સામે 13 કરોડ 31 લાખની ઉઘરાણી બાકી બતાવી હતી. જેની સામે મકાન પડાવી લેવાની પણ ધમકી આપી હતી. આમ વ્યાજખોરો આર્થીક શોષણના તમામ સીમાડા વટાવી રહ્યા છે.