Saturday, February 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeWorldવ્યાજદરમાં વૃદ્ધિથી વૈશ્વિક અર્થંતંત્ર મંદીમાં પરિણમી શકે છે : વર્લ્ડ બેન્કની ચેતવણી

વ્યાજદરમાં વૃદ્ધિથી વૈશ્વિક અર્થંતંત્ર મંદીમાં પરિણમી શકે છે : વર્લ્ડ બેન્કની ચેતવણી

કોરોના મહામારી બાદ માંડ માંડ વૈશ્વિક અર્થતંત્ર પર હવે પાટા પર આવી રહ્યું છે ત્યારે વર્ષ 2023માં આર્થિક મંદીની સુનામી આવશે તેવી વર્લ્ડ બેન્ક દ્વારા ચેતવણી આપવામાં આવી છે. વર્લ્ડ બેન્કના જણાવ્યા અનુસાર મહામારી બાદ બેફામ ગતિએ વધી રહેલી મોંઘવારીને ડામવા માટે અમેરિકા, ઇંગ્લેન્ડ, ભારત અને યુરોપિયન ઝોન સહિત દુનિયાભરની મધ્યસ્થ બેન્કો વ્યાજદરમાં આક્રમક વધારો કરી રહી છે અને તેની સીધી પ્રતિકુળ અસર આર્થિક વિકાસદર પર થઇ રહી છે.

દુનિયાના ત્રણ સૌથી મોટા અર્થતંત્રો અમેરિકા, ચીન અને યુરોપિયન યુનિયનના કે વિકાસદરમાં ઝડપી ઘટાડો આવ્યો છે. વર્લ્ડ બેન્કે એક રિપોર્ટમાં જણાવ્યુ કે, વ્યાજદરમાં વૃદ્ધિથી વૈશ્વિક અર્થંતંત્ર પર અસર પડી રહી છે અને આગામી વર્ષે તે મંદીમાં પરિણમી શકે છે. આ સંસ્થાએ જણાવ્યુ કે, વર્ષ 1970ની મંદી બાદથી પછી થયેલી રિકવરી બાદ ગ્લોબલ ઇકોનોમીમાં સૌથી ઝડપી ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લે આવેલી વૈશ્વિક આર્થિક મંદી બાદ પહેલીવાર કન્ઝ્યુમર કોન્ફિડન્સમાં ઝડપી ઘટાડો નોંધાયો છે. 

વર્લ્ડ બેન્કના પ્રમુખ ડેવિડ માલપાસે જણાવ્યુ કે, વૈશ્વિક વૃદ્ધિદર ઘટી રહ્યો છે અને તેમાં વધુ ઘટાડો આવ્યો તો ઘણા દેશો મંદીની ખીણમાં ગરકાવ થઇ જશે. તેમને ગંભીર ચિંતા વ્યક્ત કરી છે અને કહ્યુ છે કે, વૈશ્વિક આર્થિક કટોકટીનો માહોલની ભયંકર અસર વિકાસશીલ દેશો પર  જોવા મળશે. વર્લ્ડ બેન્ક દ્વારા રિપોર્ટમાં મધ્યસ્થ બેન્કોને મોંઘવારી દર ઘટાડવા માટે વ્યાજદરમાં બે ટકાની વૃદ્ધિ કરવા સૂચન કરવામાં આવ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!