Sunday, June 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeDelhiશરાબ આબકારી કૌભાંડ એકસરખું...

શરાબ આબકારી કૌભાંડ એકસરખું…

Published By : Patel Shital

  • તેમ છતાં દિલ્હીના કહેવાતા આરોપી જેલમાં જ્યારે છત્તીસગઢના આરોપી સત્તાના મહેલમાં…

કોંગ્રેસના અને અન્ય પક્ષોના રાજકારણીઓ એમ જણાવી રહ્યા છે કે દેશમાં ન્યાય બધા માટે એક સરખો નથી. એક સરખા ગુન્હા માટે ભાજપ તરફી અથવા તો મોદી ભક્તો માટે આરોપીને કોઇ સજા નહીં… તો ભાજપ તરફી ન હોય તેવાને જેલના હવાલે કરવામાં આવે આ ક્યાંનો ન્યાય..?

આ બાબત માટે કોંગ્રસના અગ્રણીઓ એક ઉદાહરણ આપી રહ્યાં છે. તેઓ જણાવી રહ્યા છે કે દિલ્હી સરકાર દ્વારા આબકારી ગોટાળો કરી શરાબકાંડ સર્જવામાં આવ્યો અને આરોપી દિલ્હીના આમ જનતા પાર્ટીના મનીષ સિસોદિયાને જેલ ભેગા કરવામાં આવ્યાં.

આવુ જ કૌભાંડ છત્તીસગઢમાં પણ થયુ હતું. જેમાં ભાજપની સરકારના સમયમાં મુખ્યમંત્રી રમણસિંહ તેમજ અન્ય મંત્રી ગણેશ મિશ્રા અને અગ્રવાલ દ્વારા શરાબની આબકારી જકાતમાં ફેરફાર કરીને શરાબના વેપારીઓને રૂ. 4,400 કરોડનો ફાયદો કરાવ્યો હતો. જેમાં શરાબના વેપારી સમુદ્ર રામસિંહને જંગી ફાયદો થયો હતો. છત્તીસગઢના કોંગ્રેસ પ્રદેશના અગ્રણી નેતા સુશીલ આનંદ શુક્લા એ પત્રકાર પરિષદમાં આ સમગ્ર શરાબ આબકારી કાંડનો પર્દાફાશ કર્યો હતો અને વિવિઘ સાબિતિઓ સાથે જણાવ્યું હતુ કે છત્તીસગઢના મુખ્યમંત્રી રમણસિંહના સત્તાકાળ વર્ષ 2012 થી 2017 દરમિયાન આ કૌભાંડ થયું હતું. કોંગ્રેસની માંગણી છે કે શરાબકાંડના દોષિતો માટે દિલ્હીની જેમ જ આકરામાં આકરી સજાની કાર્યવાહી કરવામાં આવે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!