Published by : Rana Kajal
દેશ-વિદેશમાં ધાર્મિક ખ્યાતિ ધરાવતા સાઈબાબાના ધામ શિરડી ખાતે ખુબ મોટી સંખ્યામાં ભક્તો દર્શન અર્થે આવતા હોય છે. આ તમામ ભક્તો દ્વારા અપાતા પરચુરણ ચલણી સિક્કાના પગલે હાલ એવી પરિસ્થિતિ સર્જાઈ છે કે પરચુરણ ચલણી સિક્કા સ્વીકારવાની 4 બેકોએ ના પાડી દીધી છે. દાનપેટી ઓ ભક્તોના દાનથી છલકાઈ ગઈ છે. કેનેરા બેંક શિર્ડીના છત્રપતિ કોમ્પલેક્ષના પહેલા માળે આવેલ છે. આ બેંકના સ્ટ્રોંગ રૂમમાં ત્રણ ટ્રક ભરાય એટલું પરચુરણ ભેગું થઈ ગયું છે. બેંકના મેનેજરે એટલે સુઘી જણાવ્યું કે પરચુરણનું વજન એટલું થઈ ગયુ કે છત તૂટી પડે તેવો પણ ભય લાગી રહયો છે. આ પરચુરણની સમસ્યા અંગે શિર્ડી ના કર્તાહર્તાઓ રિઝર્વ બેંકનો સંપર્ક કરશે એમ જાણવા મળેલ છે.