Sunday, June 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeDuty wayશું છે આ નવી કર વ્યવસ્થા..? શું તમે જાણો છો આ વિશે…ચાલો...

શું છે આ નવી કર વ્યવસ્થા..? શું તમે જાણો છો આ વિશે…ચાલો જાણીએ નવી ટેક્સ સિસ્ટમ વિશે…

Published By : Parul Patel

કેન્દ્ર સરકારે બજેટ નાણાકીય વર્ષ 2020-21થી નવી ટેક્સ વ્યવસ્થા રજૂ કરી હતી. આ માટે કેન્દ્ર સરકાર ઈચ્છે છે કે વધુને વધુ કરદાતાઓ નવી ટેક્સ સિસ્ટમ અપનાવે. આથી  સરકારે તેને સરળ બનાવવાનો સતત પ્રયાસ કર્યો છે. 2023-24ના બજેટમાં પણ સરકારે નવી ટેક્સ સિસ્ટમને આકર્ષક બનાવવા માટે કેટલાક ફેરફારોની દરખાસ્ત કરી છે. જો કે, કરદાતાઓના મનમાં નવી ટેક્સ સિસ્ટમને લઈને અનેક  પ્રશ્નો છે. તમારા આવા જ કેટલાક પ્રશ્નોને સચોટ કરવાનો પ્રયાસ કરીએ…

2023-24ના  બજેટમાં કરવામાં આવેલા ફેરફારો મુજબ  આવકવેરાના સ્લેબમાં  નવી  ટેક્સ વ્યવસ્થા હેઠળ કુલ 6 સ્લેબ છે.

  • 3 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક કરમુક્ત છે.
  • 3 લાખથી 6 લાખ રૂપિયાની આવક પર 5 ટકાના દરે ટેક્સ લાગશે.
  • 6 લાખથી  9 લાખ સુધીની વાર્ષિક આવક પર 10 ટકાના દરે  ટેક્સ લાગશે.
  • 9 લાખથી 12 લાખ સુધીની આવક પર 15 ટકા દર થશે.
  • 12 લાખથી 15 લાખ સુધીની આવક પર 20 ટકા દર ચૂકવવો પડશે.
  • 15 લાખથી વધુની આવક પર 30 ટકાના દરે ટેક્સ ભરવો પડશે.

નવી કર વ્યવસ્થામાં, અગાઉ માત્ર 2.50 લાખ રૂપિયા સુધીની આવક જ કરમુક્ત હતી, પરંતુ નવા બજેટમાં તેને વધારીને 3 લાખ રૂપિયા કરવામાં આવી છે. તમે દર વર્ષે ત્રણ લાખ રૂપિયા સુધીની કમાણી કરી રહ્યાં છો, તો તમારા પર કોઈ ટેક્સ જવાબદારી રહેશે નહીં.

નવી કર વ્યવસ્થા ફરજિયાત નથી. સરકારનો ઈરાદો એ છે કે આવનારા સમયમાં એક જ ટેક્સ સિસ્ટમ હોવી જોઈએ, પરંતુ હાલમાં નવીની સાથે જૂની ટેક્સ સિસ્ટમનો વિકલ્પ પણ ઉપલબ્ધ છે.

નવી કર વ્યવસ્થા હેઠળ સરચાર્જની રકમ પણ જાણવી રહી…

અત્યાર સુધી પાંચ કરોડ રૂપિયાથી વધુ આવકવેરા હેઠળ 37 ટકા સરચાર્જ ચૂકવવો પડતો હતો. જે 2 કરોડ રૂપિયાથી વધુ કમાણી પર નવી સિસ્ટમમાં 25 ટકા  સરચાર્જ ચૂકવવો પડશે.

નવી કર વ્યવસ્થામાં ડિફોલ્ટ થવાનો અર્થ…

નવી કર વ્યવસ્થામાં ડિફોલ્ટ થવાનો અર્થ એ થશે કે જો તમે કોઈ વિકલ્પ પસંદ ન કરો, તો એવું માનવામાં આવશે કે તમે નવી કર વ્યવસ્થા પસંદ કરી છે. આ માટે, નોકરીદાતાઓને નવી ટેક્સ સિસ્ટમના સ્લેબ અને દર અનુસાર ટેક્સ કાપવા માટે પણ કહેવામાં આવ્યું છે, જો કર્મચારીઓ કોઈ વિકલ્પ પસંદ ન કરે. જોકે, આ પછી પણ રિટર્ન ફાઇલ કરતી વખતે વિકલ્પ પસંદ કરવાની સુવિધા ચાલુ રહેશે.

નવી કર વ્યવસ્થામાં  આવકવેરા કાયદાની કલમ 87A હેઠળ કર રાહત આપવામાં આવે છે. આ હેઠળ, 01 એપ્રિલ, 2023 થી

  • નવી ટેક્સ સિસ્ટમ અનુસારકરદાતાઓ કે જેમની કરપાત્ર આવક 7 લાખ રૂપિયાથી વધુ નથી તેને 25 હજાર રૂપિયાની રાહત મળશે.
  •  બીજી તરફ, જૂની કર વ્યવસ્થા હેઠળ, 5 લાખ રૂપિયા સુધીની કરપાત્ર આવક ધરાવતા કરદાતાઓને 12,500 રૂપિયાની રાહત મળશે.

જો તમારી પાસે આ બાબતે  વધુ પ્રશ્નો હોય, તો તમે આવકવેરા વિભાગની સત્તાવાર વેબસાઇટ પર જઈને જવાબો મેળવી શકો છો. આવકવેરા વિભાગની વેબસાઇટ પર નવી ટેક્સ સિસ્ટમ, જૂની ટેક્સ સિસ્ટમ સહિત આવકવેરાને લગતા તમામ પ્રશ્નો અને જવાબો FAQs સ્વરૂપે ઉપલબ્ધ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!