Friday, February 7, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeBharuchDevotionalશ્રાવણ માસમાં ભગવાન ભોલેનો અનેરો મહિમા…સિંધફણા નદીના પટમાં આવેલા સિદ્ધેશ્વર મહાદેવની ગરીમા...

શ્રાવણ માસમાં ભગવાન ભોલેનો અનેરો મહિમા…સિંધફણા નદીના પટમાં આવેલા સિદ્ધેશ્વર મહાદેવની ગરીમા અનોખી…

Published By : Parul Patel

શ્રાવણ માસ મહાદેવને સમર્પિત છે. આ પવિત્ર મહિનામાં ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે. એમ કહેવાય છે કે શ્રાવણ મહિનામાં ભગવાન શિવની પૂજા કરવાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે. આથી શ્રાવણ માસમાં ભક્તોને ભગવાન શિવની આરાધના કરવા માટે મોટી ભીડ જોવા મળે છે.

સિંઘફણા નદી મહારાષ્ટ્રના બીડ જિલ્લામાંથી પસાર થાય છે. નદીના પટમાં આવેલા માજલગાંવ ખાતે સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. સામાન્ય રીતે નદીના પટમાં ભાગ્યે જ કોઈ મંદિર જોવા મળે છે. એટલે આ મંદિરનું એક અલગ જ મહત્વ છે. સિદ્ધેશ્વર મહાદેવ માજલગાંવના રહેવાસીઓના ગામદેવતા છે. આથી શ્રાવણ માસ દરમિયાન આ સ્થળે ભક્તોની મોટી ભીડ રહે છે. શ્રાવણ માસમાં આ સ્થળે મહા પૂજાનું આયોજન કરવામાં આવે છે. સવાર-સાંજ મહા આરતીનું આયોજન કરવામાં આવે છે. સમગ્ર મંદિરને દરરોજ અલગ અલગ પ્રકારના ફૂલોથી સજાવવામાં આવે છે.

પેશ્વા કાળ દરમિયાન આ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. મંદિરમાં ચાર ફૂટ ઊંચી દિવાલો વચ્ચે આવેલું આ શિવાલય પ્રકૃતિના તમામ વાતાવરણ સામે લડવાની ક્ષમતા ધરાવે છે. સિંધફણા નદીના તટ પ્રદેશમાં માજલગાંવ ડેમમાંથી પાણી છોડવામાં આવે છે. આ મંદિર પૂરના પાણીમાં અનેકવાર ડૂબી ગયું છે. જોકે, મંદિરને જૂની રીતે બાંધવામાં આવ્યું હોવાથી તેને હજી સુધી કોઈ નુકસાન થયું નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!