Sunday, June 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeBharuchશ્રી કષ્ટભંજન દેવ અને શ્રી સૂર્યમુખી હનુમાનજી મંદિરનો ભવ્ય પાટોત્સવનું...

શ્રી કષ્ટભંજન દેવ અને શ્રી સૂર્યમુખી હનુમાનજી મંદિરનો ભવ્ય પાટોત્સવનું…

Published By : Patel Shital

    ભરૂચ નગરના કબીરપુરા ખત્રીવાડ સ્થિત શ્રી કષ્ટભંજન દેવ અને શ્રી સૂર્યમુખી હનુમાનજી મંદિર ના પ્રથમ પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

    વિક્રમ તા 20, 21 અને 22 મે, 2023 ના રોજ પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તા 20 મે ને શનિવાર ના રોજ બપોરે 4:00 કલાકે પોથીયાત્રા તા. 21 મે ને રવિવાર ના રોજ સાંજે 4:00 કલાકે બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. બાઈક રેલી ઝાડેશ્વર સાંઇ મંદિર થી નીકળી કસક પહોંચશે. સાંજે 5.30 કલાકે શોભાયાત્રા તેમજ તા. 22 મે ને સોમવારના રોજ મારૂતિ યજ્ઞ સવારે 8:00 કલાકે તેમજ મહાપ્રસાદીનું સાંજે 6.30 કલાકે આયોજન કરવામાં આવ્યું છે.

    આ દિવસો દરમિયાન રોજ સાંજે 7.30 થી રાત્રે 11 કલાક દરમિયાન કથા પારાયણનું આયોજન કરવામાં આવ્યું છે. કથાના વક્તા પ. પુ. શ્રી સત્ય પ્રકાશદાસજી વ્યાસપીઠ પર બિરાજશે જ્યારે સ્વામી પ. પૂ. સૂર્યપ્રકાશજી સંચાલન કરશે. ભરૂચ સમસ્ત ક્ષત્રિય જ્ઞાતિ પંચ દ્વારા અને સમસ્ત કષ્ટભંજન દેવ હનુમાનજી ભક્ત પરિવાર દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

    RELATED ARTICLES

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here

    - Advertisment -
    Google search engine
    100FansLike
    300FollowersFollow
    400FollowersFollow
    700SubscribersSubscribe

    Most Popular

    Recent Comments

    ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
    ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
    error: Content is protected !!