Sunday, June 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateMy Gujaratસમય સમય બલવાન... 800 કરોડની કંપનીના માલિક જયસુખ પટેલનો જેલની 9 નંબરની...

સમય સમય બલવાન… 800 કરોડની કંપનીના માલિક જયસુખ પટેલનો જેલની 9 નંબરની ખોલીમાં મુકામ…

Published by : Vanshika Gor

800 કરોડની કંપનીનું સામ્રાજ્ય ધરાવતા અને વિશ્વની સમય જોવા માટે ઘડિયાળ સહિત અનેક ડિજિટલ ઉત્પાદકો આપનારા અજંતા ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલની જિંદગીનો સમય ઝૂલતા પુલની દુર્ઘટના એ બદલી નાખતા હાલમાં તેઓ મોરબી જેલમાં ખોલી નંબર 9 માં કાચા કામના કેદી તરીકે સમય કાપી રહ્યા છે ઉદ્યોગ જગતમાં મોટું સ્થાન ધરાવતા જયસુખ પટેલની મોરબી જેલમાં કોઈ વિશેષ સવલતો મળી નથી.

પરંતુ ઘરના ગાદલા અને ઘરનું ટિફિન જમવાની સુવિધા પૂરી પાડવામાં આવી છે જેલ મેન્યુઅલ મુજબ તેમની સાથે ખોલી નંબર 9 માં તેમની જ કંપનીના ચાર કર્મચારીઓને પણ રાખવામાં આવ્યા છે ઘટ 30 મી ઓક્ટોબરના રોજ મોરબીના ઇતિહાસમાં ગોજારી કહી શકાય તેવી દુર્ઘટનામાં અજંતા ઓરેવા કંપની સંચાલિત ઝૂલતો પુલ તૂટી પડતા 135 નિર્દોષ લોકોના મૃત્યુ થયા હતા.

આ કેસમાં અગાઉ અજંતા ઓરેવા કંપનીના બે મેનેજર ટીકીટબારી ક્લાર્ક બે કોન્ટ્રાક્ટર અને સિક્યુરિટી ઘાટ સહિત નવ લોકો વિરોધ ગુનો નોંધાયા બાદ તપાસનીશ પોલીસ અધિકારી દ્વારા ચાર્ટ દાખલ કરતા સમય પૂરતા પુરાવા મળતા અજંતા ઓરેવા કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર જયસુખ પટેલને પણ આરોપી જાહેર કરી તેમની ધરપકાર માટે તપાસ ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા પરંતુ પોલીસના અનેક પ્રયાસો બાદ પણ જયસુખ પટેલ હાથ લાગ્યા ન હતા.

ત્યારબાદ કોડ મારફતે પકડ વોરંટ હતા ગત 31 જાન્યુઆરી 2023 ના રોજ જયસુખ પટેલ મોરબી કોર્ટમાં સરેન્ડર કર્યું હતું ત્યારબાદ પોલીસ રિમાન્ડ સહિતની કાયદાકીય પ્રક્રિયામાંથી પસાર થઈ તારીખ 8 ના રોજ જયસુખ પટેલ ન્યાયિક હિરા સતમાં મોકલી દેવા હુકમ થતા એસઓ આરામની જિંદગી જીવતા અને રૂપિયા 800 કરોડનો સામ્રાજ્ય ધરાવતા જયસુખ પટેલ મોરબી સબ જેલમાં હાલ જેલ મેન્યુઅલ મુજબ દિવસો પસાર કરી રહ્યા છે જે સત્તાવાળો ના જણાવે મુજબ મોરબી જેલમાં તેઓને કોઈ વીઆઈપી કહી શકાય તેવી સુવિધા આપવામાં આવી નથી અહીં માત્ર તેઓના ઘરના ગાદલા અને ઘરનું ભોજન ની વિશેષ સુવિધા અપાય છે બુલેટની એ છે કે જયસુખ પટેલની જે જેલમાં રાખ્યા છે તે મોરબી જેલમાં 171 કેદીઓ રાખવાની ક્ષમતા છે પરંતુ હાલમાં જેલમાં જયસુખ પટેલ સહિત 272 કેદીઓ રાખવામાં આવ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!