Published by : Anu Shukla
- ગાંધીનગર રાજ્ય કક્ષાની ટીમ દ્વારા સરકારની ફ્લેગશીપ યોજના હેઠળ વાલીયા તાલુકામાં થયેલા કામોની સ્થળ મુલાકાત લેવાઈ
ભરૂચ જીલ્લા ખાતે સરકારની ફ્લેગશીપ યોજના મનરેગા,વોટરશેડ,પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ,સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ જેવી વિવિધ યોજના હેઠળ ચાલતા કામો તેમજ પુર્ણ કામોની રાજ્ય કક્ષાથી જીલ્લા/તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ થયેલા કામોની મુલાકાત લેવામાં આવે છે. ગ્રામ વિકાસ વિભાગ ગાંધીનગરથી સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસર,મનરેગા તેમજ તેમની ટીમ દ્વારા ભરૂચ જીલ્લાના વાલીયા તાલુકામાં કાચા રસ્તા,ચેકડેમ તેમજ શોક્પીટના કામની મુલાકાત લેવામાં આવી હતી.
મુલાકાતનો મુખ્ય હેતુ સરકારશ્રીની વિવિધ યોજનાનું યોગ્ય રીતે અમલીકરણ થાય અને યોજનાનાં લાભ થકી લોકોની સુખાકારીમાં અને જીવન શૈલીમાં વધારો થાય. આ વિસ્તારમાં સરકાર દ્વારા કરાયેલી વિકાસલક્ષી પ્રવૃતિઓ અંગે જાગૃતતા ફેલાય અને ગ્રામ પંચાયતની પ્રાથમિક જરૂરિયાત અને પારદર્શકતા જળવાય તેવા હેતુથી વાલિયા તાલુકામાં જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીની યોજનાઓમાં થયેલા કામોની મુલાકાત લેવામાં આવી હતી.
વિશેષમાં તાલુકા કક્ષાએ જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીની મનરેગા,વોટરશેડ,પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ), સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ), મિશન મંગલમ સહિતની યોજનાઓનો એક દિવસીય વર્કશોપ યોજવામાં આવ્યો હતો. જેમાં લોકો સુધી યોજનાઓની જાણકારી પહોચે તેવા પ્રયાસો હાથ ધરેલ. આ વર્કશોપમાં તાલુકા પંચાયત પ્રમુખ, તાલુકા પંચાયતનાસભ્યો, તાલુકા વિકાસ અધિકારી, સરપંચ,તલાટી કમ મંત્રી ઉપસ્થિત રહ્યા હતા.