Published By : Patel Shital
- દિવ્ય ભાસ્કરના પત્રકારોનો સંશોધનાત્મક લેખ કોની આંખો ખોલશે…??
- ઉંચા પદ પર બિરાજમાન અમલદારોએ સરકારને તેમના રોકાણ અંગે માહિતિ આપવાની હોય છે… પરતું અમલદારો આ સુચનાનુ પાલન કરે છે ખરા..?
દેશમા કાળું નાણું અલગ અલગ રીતે રોકાણ કરવામા આવ્યુ હોવાનુ જણાયું છે. તેમાં પણ ગુજરાત રાજયમાં ઉચ્ચ અમલદારો ઉપરાંત ધારાસભ્યોથી માંડીને રાજકારણીઓનુ જંગી રોકાણ ક્યાં કરવામાં આવ્યુ છે તેની માહિતિ સામે આવી રહી છે.
એક ગણતરી મુજબ ઉચ્ચ અમલદારોનો માસિક પગાર રૂ. 2 લાખની આસપાસ હોય છે. તેમ છતાં આવા ઉચ્ચ અમલદારો દ્વારા શેર બજાર તેમજ રિયલ એસ્ટેટમાં જંગી રોકાણ કેવી રીતે કરવામાં આવી રહીં છે તે અંગે તપાસ થવી જરૂરી. સૌથી વધુ મહત્વની બાબત એ છે કે આ અમલદારો અને રાજકારણીઓ પોતાના સગા સબંધી કે અન્યોના નામે રોકાણ કરવામાં આવ્યુ છે. એક ગણતરી મુજબ રાજ્યમાં આવુ રોકાણ રૂ. 7500 કરોડની આસપાસ છે. એવુ તારણ પણ સામે આવી રહ્યુ છે કે રાજયના કેટલાક IAS નું રોકાણ રૂ. 2 થી 3 કરોડનું હોવાનુ સામે આવી રહ્યું છે જયારે કેટલાક ધારાસભ્યોનું રોકાણ પણ શેર બજાર અને રિયલ એસ્ટેટમાં ફરી રહ્યું છે. જે પણ રૂ 1 કરોડ થી 2 કરોડનું જણાઈ રહ્યું છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે લોકોની આવક પર દેખરેખ રાખનાર ઈન્કમટેક્ષના અમલદારો પણ તેમના વેતનના પ્રમાણમાં વધુ એવુ રોકાણ શેર બજાર અને રિયલ એસ્ટેટમાં કરી રહ્યા છે. માત્ર રાજ્ય કે દેશમાં જ નહી પરંતુ વિદેશમાં પણ રોકાણ કરી રહ્યા છે. આમ ભ્રષ્ટાચાર રહિત રાજ્યની છાપ ધરાવતા ગુજરાત રાજયમાં આ પરિસ્થિતિ હોવાનુ લોકચર્ચામાં જણાઈ રહ્યું છે.
નોંધ : સૌજન્ય દિવ્ય ભાસ્કર