Published by : Rana Kajal
સરકારે ખુલ્લા બજારમાં 30 લાખ ટન ઘઉં વેચવાનો જે નિર્ણય લીધો છે તેનાથી ઘઉં અને ઘઉંના લોટની કિંમતોમાં 4થી 6 રૂપિયા પ્રતિ કિલોગ્રામ સુધીનો ઘટાડો આવી શકે છે. આ ઘઉંને ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા આગામી 2 મહિનામાં વિભિન્ન માધ્યમોથી વેચવામાં આવશે.
આ ઘઉં લોટ મિલ માલિકોને ઈ-નિલામી દ્વારા વેચવામાં આવશે. ઘઉં પીસીને લોટ બનાવવા અને તેને જનતા સુધી 29.50 રૂપિયાના મહત્તમ છૂટક મૂલ્યમાં પહોંચાડવા માટે એફસીઆઈ ઘઉંને જાહેર ક્ષેત્રના એકમો, સહકારી સંઘ અને અન્ય સંસ્થાઓને 23.50 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ભાવે વેચશે. ઘઉંના ભાવમાં મોટા ઘટાડાની શક્યતા સીમિત લાગે છે અને કિંમતો 2023-24 ના લઘુતમ સમર્થન મૂલ્ય 21.25 રૂપિયા પ્રતિ કિલોગ્રામથી ઉપર રહેશે. જ્યારે હાલ દેશના મુખ્ય શહેરોમાં ઘઉંની સરેરાશ કિંમત 33.43 રૂપિયા પ્રતિ કિલોગ્રામ રહી હતી જ્યારે ગયા વર્ષે આ સમયગાળામાં ભાવ 28.24 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતી. આ વર્ષે ઘઉંના લોટની સરેરાશ કિંમત 37.95 રૂપિયા પ્રતિ કિલોગ્રામ નોંધાઈ અને ગયા વર્ષે ભાવ 31.41 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતી.