Published by : Rana Kajal
ભરૂચ જિલ્લામાં અકસ્માત કે અન્ય બનાવોના સમયે પોલીસ તંત્રમાં ઘણી વાર સરહદનો પ્રશ્ન ઉપસ્થિત થતો હોય છે. જેના કારણે કેટલીક વાર સમસ્યાઓ ઉદભવતી હોય છે.જેમકે સરહદની માથા ફૂટમાં એક મૃતદેહ રઝળતો રહયો હતો. ભરૂચ નગરના આનંદ નગર નજીક થી પસાર થતી દહેજ ભરૂચ રેલ્વે લાઈન ઉપર એક અજાણ્યા પુરુષને ટ્રેનની ટક્કર વાગતા મોત નીપજ્યું હતું. 2 કલાકથી કરતા વધુ સમય થઈ ગયો હોવા છતાં પોલીસ તંત્ર દ્વારા કોઈ કામગીરી ન કરવામાં આવતાં સ્થાનિકો દ્વારા રેલ્વે પોલીસ તેમજ એ ડીવિઝન પોલીસ ને જાણ કરવામા આવી હતી પણ રેલ્વે પોલીસે જણાવ્યુ કે એ ડિવિઝન પોલીસની સરહદ લાગે છે જ્યારે એ ડિવિઝન પોલીસે જણાવ્યું કે રેલ્વે પોલીસની સરહદ લાગુ પડે છે તેથી 2 કલાક સુધી મૃતદેહ રઝળતો પડી રહયો હતો.