Published by : Anu Shukla
- ખાલી વાહન થોડે દુરથી મળી આવ્યું હતું
- સરેન્દ્રનગરના સાયલા પાસે 1400 કિલો ચાંદીની સાથે વાહનની લૂંટ કરી અજાણ્યા શખ્શો ભાગી ફરાર
ગુજરાતમાં મોટી લૂંટના સમાચાર સામે આવ્યા છે. સરેન્દ્રનગરના સાયલા પાસે 1400 કિલો ચાંદી સાથે વાહનની લૂંટ કરી અજાણ્યા શખ્શો ભાગી ફરાર થઈ ગયા છે. અમદાવાદ-રાજકોટ હાઈવે પર પોલીસે નાકાબંધી કરી છે.
લૂંટારૂઓને ઝડપી લેવા માટે સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરવામાં આવી
સુરેન્દ્રનગરમાં લાખોની લૂંટની ઘટનાથી ચકચાર મચી ગઈ છે. અમદાવાદ- રાજકોટ હાઈવે પર પોલીસ દ્વારા નાકાબંધી કરવામાં આવી છે. આ લૂંટારુઓ 1400 કિલો ચાંદી લઈ ફરાર થઈ ગયા હતા અને આ વાહન થોડે દુરથી મળી આવ્યુ હતું. ઘટનાની જાણ બાદ ડીએસપી, ડીવાયએસપી, એલસીબી, એસઓજી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળ પર આવી પહોંચ્યો હતો. આ સાથે તાત્કાલિક અસરથી લૂંટારૂઓને ઝડપી લેવા માટે સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરી દેવામાં આવી છે.