Home Ankleshwar સર્પાકારે વહેતી નર્મદા નદીનું અંકલેશ્વર તરફ ફંટાયેલ વહેંણથી 27 ફૂટે પણ ભરૂચ...

સર્પાકારે વહેતી નર્મદા નદીનું અંકલેશ્વર તરફ ફંટાયેલ વહેંણથી 27 ફૂટે પણ ભરૂચ શહેરમાં હવે નથી પ્રવેશી રહ્યા પુરના પાણી

0
  • રેવાએ બદલેલા પ્રવાહથી અંકલેશ્વરની હજારો એકર જમીનનું થઈ રહ્યું છે ધોવાણ
  • જ્યારે ભરૂચના ફુરજા અને દાંડિયા બજારમાં હવે 28 ફૂટે પ્રવેશે છે રેલના પાણી
  • ભાડભુત બેરેજ યોજના હેઠળ બન્ને તરફ પ્રોટેક્શન વોલ પાળા બનતા કિનારાઓનું ધોવાણ અટકવવાની આશ

રેવામાં રેલ વચ્ચે ભરૂચ માટે એક તરફ સારા સમાચાર છે ત્યાં અંકલેશ્વર માટે ચિંતાજનક. ભરૂચ અને અંકલેશ્વરમાંથી સર્પાકાર વહેતી નર્મદા નદીએ પાછલા કેટલાક વર્ષોમાં વહેંણ બદલ્યું છે. ભરૂચ તરફથી નર્મદા નદી ધીમે ધીમે દૂર ખસી અંકલેશ્વર તરફ ખસી રહી છે. ભરૂચમમાંથી દૂર જઈ રહેલી નર્મદા નદી ને કારણે હવે 27 ફૂટે ગોલ્ડનબ્રિજની સપાટી સ્પર્શ કરવા છતાં પુરના પાણી ફુરજા, દાંડિયા બજાર વિસ્તારમાં પ્રવેશવાના શરૂ થઇ જતાં હતાં.જોકે ભરૂચથી નદી દૂર જઇ અંકલેશ્વરની વધુને વધુ સમીપ પોહચતા ભરૂચ સિટીમાં જ્યાં રેલની અસર 28 ફૂટ બાદ થઈ રહી છે ત્યાં અંકલેશ્વર તરફના કિનારે ખેતીની જમીન અને અન્ય ને નુકશાની વધારી રહી છે.

વીતેલા 15 વર્ષ કે તેથી વધુ સમયમાં અંકલેશ્વર કિનારે કેટલાય વીંઘા જમીન નદીમાં ગરકાવ થઈ ગઈ છે. અંકલેશ્વર કિનારાનું વ્યાપક ધોવાણ થઈ રહ્યું હોય ખેડૂતો અને ગ્રામજનોએ વખતો વખત પ્રોટેક્શન વોલ બનાવવાની પણ માંગણીઓ કરી હતી. જેમાં પ્રોટેક્શન વોલની કામગીરી શરૂ પણ કરાઈ હતી. જોકે તે અધૂરી છોડી દેવામાં આવી હતી.હાલ ભાડભૂત બેરેજ યોજના કરોડોના ખર્ચે આગળ ધપી રહી છે ત્યારે બન્ને તરફ પાળા અને રોડની કામગીરીને લઈ પ્રોટેક્શન વોલનું નિર્માણ થતા અંકલેશ્વર તરફના કિનારાનું ધોવાણ અટકશે તેવી ખેડૂતો અને લોકો આશ લગાવીને બેઠા છે.

1970 થી સતત નદીનું અંકલેશ્વર તરફ પ્રયાણ, ખેડૂતોની 30 વર્ષથી નર્મદા નદીમાં ગરકાવ થતી જમીન

અંકલેશ્વર તાલુકાના 11 થી વધુ ગામના 500 થી વધુ ખેડૂતો 2200 વિંધા જમીન વિહોણા બન્યા છે. જે પાછળનું કારણ નર્મદા નદીનું અંકલેશ્વર તરફનું પ્રયાણ સામે આવ્યું છે. અંકલેશ્વર કાંઠા વિસ્તારના આ ગામોની જમીન સત્તત ધોવાણ 1992 થી અવિરત વધ્યું ચાલુ છે. લોકો ની રજુઆતના અંતે 2012-13 પછી સરફુદ્દીન- નવા બોરભાઠા, જુના બોરભાઠા વિસ્તારમાં ગેબીયન વોલ કમ પ્રોટેક્શન વોલની કામગીરીનો પ્રારંભ કરાયો હતો. જે માત્ર 9 મહિના ટૂંકા સમયમાં ઇજારદાર અને તંત્રની માથાકૂટ વચ્ચે અટકી જવા પામ્યું હતું અને હાઇકોર્ટમાં મામલો પહોંચી ગયો હતો. ત્યારબાદ તંત્ર દ્વારા વિયર કમ બેરેજ યોજના અંતર્ગત અંકલેશ્વર નર્મદા નદી કિનારો કેચમેન સમાવી સંરક્ષણ દીવાલ બનાવાનો લોલીપોપ પકડાવી હાથ અધ્ધર તાલ કરી દીધા હતા.  ગત વર્ષે પણ 80 થી 100 એકર જમીનનું પૂર માં ધોવાણ થયું હતું જે અંગે તંત્રને રજુઆત કરવા બાદ રિવર કમ બેરેજ કામગીરી ટૂંક માં શરૂ થઇ જશે તેવા ઠાલા વચનો મળ્યા છે. પણ આજદિન સુધી કામગીરી ચાલુ થઇ નથી જેને લઇ હવે ખેડૂતો માં ધીરે ધીરે છૂપો રોષ ફેલાઈ રહ્યો છે.

  • હાલમાં પૂરના પાણીમાં સૌથી વધુ જમીન ધોવાણ

નર્મદા નદીમાં 1992 થી જમીન ધોવાણ ચાલુ છે. હાલમાં જ પૂરના પાણી ધોવાણ ખુબજ વધી ગયું છે. અત્યાર સુધી 2200 થી વિધા જમીન ધોવાણ થયું છે. 500 થી વધુ ખેડૂતોની જમીન ધોવાય ગઈ છે. છેલ્લા 3 વર્ષમાં 150 એકર જમીન ધુવન થયું છે. તંત્ર સમક્ષ બસ એકજ અપીલ ભારભૂત રિવર કમ બેરેજની કામગીરી ચાલુ થાય કે ના થઇ પહેલા અંકલેશ્વર નર્મદા કાંઠા વિસ્તારની જમીન ધોવાના અટકવા પાર ની કામગીરી કરવા અપીલ છે. તેઝડપ થી ચાલુ થાય તે જરૂરી છે. સરફુદ્દીન ગામ થી 1 કિમિ સુધી વિસ્તાર જેતે વખતે પણ પ્રોટેક્શન વોલના કામગીરીમાં સમાવ્યો ના હતો અને આજે પણ એ કામગીરી અધૂરી છે. ગામ નજીકના ખેડૂતો જમીનનું ધોવાણ આજેપણ થઇ રહ્યું છે. તો ગામને પૂર ના પાણી અસર પણ વધી રહી છે. વારંવાર રજુઆત કરવામાં આવી છે. પણ કોઈ નક્કર પગલાં ભરવામાં આવ્યા નથી.

  • જમીન ધોવાનની આંકડાકીય માહિતી

– 1992 થી જમીનના ધોવાણની શરૂઆત

– 2200 વિધા કરતા વધુ જમીનનું ધોવાણ

– 2800 કરોડ રૂપિયા ઉપરાંતની જમીન પાણીમાં ગરક

– 12 થી 15 લાખ ઉપરાંત વિંધાની અંદાજિત કિંમત – 500 થી વધુ ખેડૂતો જમીન ગુમાવી

નર્મદા નદી ધોવાણમાં હાંસોટ તરફ થી અંકલેશ્વર તરફ આવતા જુના તરીયા, નવા તારીયા, માટીએડ, કોયલી, જુના હરિપુરા, સજોદ, જુના સક્કરપોર ભાઠા, ખાલપીયા, સરફુદ્દીન, જૂના બોરભાઠા બેટ, નવા બોરભાઠા બેટ, જુના પુનગામ, સહીતના ગામો ખેડૂતો જમીન ગુમાવાનો વારો આવ્યો છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version