Published by : Rana Kajal
સામાન્ય રીતે મોટાભાગનાં લોકોના ઘરમાં પાણીમાં બદામ પલાળીને ખાવામાં આવતી હોય છે. બદામ એક એવું ડ્રાયફ્રૂટ્સ જેમાં અનેક પ્રકારના પોષક તત્વો હોય છે. ઘણાં લોકો સૂકી બદામ ખાતા હોય છે તો ઘણાં લોકો પલાળેલી બદામ ખાતા હોય છે. મોટાભાગનાં લોકો પાણીમાં પલાળીને ફુલેલી બદામ ખાતા હોય છે. પરંતુ તમને એક વાત એ જણાવી દઇએ કે તમે પલાળેલી બદામ કરતા મધમાં પલાળેલી બદામ તમે ખાઓ છો તો હેલ્થને અનેક ઘણાં ફાયદાઓ થાય છે.
મધ અને બદામ બન્ને સુપર ફૂડ્સ છે. આ બંન્નેનું મિશ્રણ સવારમાં તમે ખાલી પેટે સેવન કરો છો તો તમારી ઇમ્યુનિટી સિસ્ટમ સ્ટ્રોંગ થાય છે અને તમે અનેક બીમારીઓથી દૂર રહો છો. આર્યુવેદમાં મધને અમૃતની જેમ માનવામાં આવે છે. મધમાં એન્ટી ઓક્સિડન્ટ્સ, એન્ટી ઇન્ફ્લેમેન્ટરી, એન્ટી ફંગલ અને એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે મધ અને બદામ પલાળીને ખાવાથી થતા લાભ નીચે મુજબ છે.
- મધ અને બદામ પલાળીને ખાવાથી તમારા શરીરમાં એનર્જી બુસ્ટ થાય છે. આ સાથે જ તમે આખો દિવસ એનર્જીથી ભરપૂર રહો છો.
- ઘણાં લોકોની પાચન શક્તિ બહુ નબળી હોય છે. પાચન શક્તિને મજબૂત બનાવા માટે મધની સાથે બદામ ખાવાનું શરૂ કરી દો. આમાં રહેલું ફાઇબર શરીરમાં સારી રીતે બેક્ટેરિયાને વધારવામાં મદદ કરે છે જેના કારણે પાચન તંત્ર સારું થાય છે.
- બદામ અને મધનું સેવન રેગ્યુલર કરો. તમારા વાળ અને સ્કિન માટે સૌથી વધારે ફાયદાકારક છે. આમાં એન્ટી ઓક્સિડન્ટ્સ, હેલ્ધી ફેટ્સ, વિટામીન ઇ હોય છે જે સ્કિન પર નેચરલ ગ્લો લાવે છે અને સાથે વાળને મજબૂત કરવાનું કામ કરે છે.
- મધ અને બદામનું સેવન રોજ સવારમાં કરવાથી યાદશક્તિમાં વધારો થાય છે. આ માટે નાના બાળકોને રોજ બદામ અને મધનું સેવન કરાવવું જોઇએ.