Publised by : Anu Shukla
પ્રાંશુક અમેરિકામાં ડેટા સાયન્ટિસ્ટ હતો. સંસારની મોહમાયા છોડીને સંયમના માર્ગે પ્રયાણ કરશે. આજનો માનવી ભોતિક સુખ અને સગવડમાં રાચતો હોય છે. ત્યારે ઍક માત્ર 28 વર્ષનો યુવાન કરોડો રૂપિયાની અને ખૂબજ માન સન્માન ધરાવતી નોકરી ત્યજી સંયમના માર્ગે જઈ રહયો છે…
28 વર્ષનો પ્રાંશુક કાંઠેડ અમેરિકાની કંપનીમાં સવા કરોડના પેકેજ પર ડેટા સાયન્ટિસ્ટ હતો. અચાનક તેને સંસારિક જીવનમાંથી મોહભંગ થઈ ગયો. તે સંસારની મોહમાયા છોડીને સંયમના માર્ગે પ્રયાણ કરશે. દોઢ વર્ષ પહેલાં તે અમેરિકાથી નોકરી છોડીને દેવાસ આવી ગયો હતો. તે આજે એટલે કે સોમવારે જૈન સંત બનશે. તેને પ્રવર્તક જિનેન્દ્ર મુનિજી દીક્ષા અપાવશે. યુવાનોમાં આજના અત્યાધુનિક યુગમાં પણ ધર્મ પ્રત્યેની આસ્થા અને દૃઢતા દેખાઈ રહી છે.
હાટપિપલ્યા ખાતે આયોજિત દીક્ષા સમારોહમાં પ્રાંશુક સાથે તેના મામાનો પુત્ર MBA પાસ થાંદલાના રહેવાસી મુમુક્ષુ પ્રિયાંશ લોઢા અને રતલામનો મુમુક્ષુ પવન કાસવાન દીક્ષિત પણ સંયમનો માર્ગ અપનાવશે.
મધ્યપ્રદેશના દેવાસના હાટપિપલ્યાના રહેવાસી પ્રાંશુકના પિતા રાકેશ કાંઠેડ એક બિઝનેસમેન છે. હવે તેમનો આખો પરિવાર ઈન્દોરમાં રહે છે. પિતા રાકેશે જણાવ્યું હતું કે પ્રાશુંકે ઈન્દોરમાંથી GSITS કોલેજથી BE કર્યું છે. વધુ અભ્યાસ માટે તે અમેરિકા ગયો હતો. એમએસ કર્યા પછી પ્રાંશકે અમેરિકામાં જ 2017માં ડેટા સાયન્ટિસ્ટની નોકરીમાં જોડાયો હતો. તેનું વાર્ષિક પેકેજ રૂ.1.25 કરોડ હતું. વિદેશમાં રહીને પણ તેઓ ગુરુ ભગવંતોનાં પુસ્તકો વાંચતો હતો. તે ઈન્ટરનેટ દ્વારા તેમના પ્રવચન સાંભળતો હતો. નોકરીથી નારાજ થઈને જાન્યુઆરી 2021માં નોકરી છોડીને ઘરે પરત ફર્યો. ઘરમાં પ્રાંશુકનાં માતા અને એક નાનો ભાઈ છે.
પ્રાંશુકએ કહ્યુ કે હવે હું જૈન મુનિ બનવા તૈયાર છું. હું અમેરિકામાં ડેટા સાયન્ટિસ્ટ હતો. હવે મેં રાજીનામું આપી દીધું છે. હું જૈન મુનિ બનવાના માર્ગ પર છું. મારા ગુરુ ભાગવંતના પ્રવચન વગેરે સાંભળ્યા પછી મેં સંસારની વાસ્તવિકતા જાણી છે. ખરેખર સંસારનું જે સુખ છે એ પળભરનું છે. એ ક્યારેય આપણને સંતોષ આપી શકતું નથી, પરંતુ તૃષ્ણા વધારે છે. વાસ્તવમાં જે શાશ્વત સુખ છે એ મેળવવાનો પ્રયાસ કરવો જ જીવનની સાર્થકતા છે, તેથી જ હું જૈન મુનિ બનવાના માર્ગ તરફ પ્રયાણ કરીશ.