Sunday, June 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeBharuchસહારાના ખાતેદારો માટે મહત્વનું…

સહારાના ખાતેદારો માટે મહત્વનું…

Published By:-Bhavika Sasiya

ભરૂચ જિલ્લામાં સહારા ના ખાતેદારો ખુબ મોટી સંખ્યામાં છે તેમના માટે મહત્વની જાણકારી પ્રાપ્ત થઇ રહી છે.
ભરૂચ જિલ્લાના અને દેશભરના લગભગ 2.5 કરોડ લોકોના 1.12 લાખ કરોડ રૂપિયા સહારા ગ્રુપની 4 સમિતિઓમાં ફસાયેલા છે. લોકોના પૈસા પાછા મેળવવા માટે ઓનલાઈન અરજીઓની વ્યવસ્થા કરવા માટે કેન્દ્ર સરકારે જુલાઈમાં રિફંડ પોર્ટલ શરૂ કર્યું હતું. પોર્ટલ પર અરજી કરનારા કેટલાક લોકોને ઓગસ્ટની શરૂઆતમાં પ્રથમ હપ્તા હેઠળ રકમ મળી છે. જ્યારે બાકીના પૈસા પણ ટૂંક સમયમાં જ છૂટા થવાના છે. ત્યારે આવી સ્થિતિમાં, જેમણે અત્યાર સુધી પોર્ટલ પર અરજી કરી નથી, તેઓએ તાત્કાલિક અરજી ઓનલાઈન કરવી જોઈએ.તા 4 ઓગસ્ટ, 2023 ના રોજ, કેન્દ્ર સરકારે પ્રથમ તબક્કા હેઠળ સહારા જૂથના 112 રોકાણકારોને 10-10 હજાર રૂપિયાનો હપ્તો જારી કર્યો હતો. પ્રથમ તબક્કામાં લગભગ 11,20,000 રૂપિયા રોકાણકારોને પરત કરવામાં આવ્યા છે. જ્યારે 2.5 કરોડ દેશવાસીઓના 1.12 લાખ કરોડ રૂપિયા સહારા જૂથમાં ફસાયેલા છે. આ રકમ કેટલાક તબક્કામાં લોકોને પરત કરવામાં આવશે. હવે બીજા તબક્કાની પ્રક્રિયા ઝડપી ગતિએ ચાલી રહી છે. સપ્ટેમ્બરમાં બીજા તબક્કામાં લોકોના ખાતામાં પૈસા આવવાની સંભાવના છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!