એવું કહેવાય છે કે શ્રદ્ધાનું બીજું નામ એટલે સાળંગપુર ધામ. જે હવે આગામી દિવસોમાં’કિંગ ઓફ સાળંગપુર’ના નામથી પણ ઓળખાશે. આવતી દિવાળી સુધીમાં તમે સાળંગપુરના દાદાના દર્શન સાળંગપુરથી 7 કિમી દુર હશો તો પણ તેના દર્શન કરી શકશો. સાળંગપુરના દાદાની મૂર્તી સ્થાપિત થયા બાદ સાળંગપુરની આખી કાયા પલટાઈ જશે. સાળંગપુર મંદિરમાં 54 ફુટની વિશાળ પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે. જેથી 7 કિમી દુરથી પણ દાદાના દર્શન થઈ શકશે.આ મૂર્તિ પંચધાતુની બનશે અને હરિયાણાના ગુરૂગ્રામમાં આ મૂર્તા આકાર પામી રહી છે.
આ મૂર્તિનો વજન 30 હજાર કિલોહશે.આ મંદિર કુલ 1,35,000 સ્ક્વેર ફૂટ વિસ્તારમાં આકાર લેશે. દાદાની આ મૂર્તિની ડિઝાઈન અને માર્ગદર્શનમાં કુંડળનાજ્ઞાનજીવનદાસ સ્વામીએ માર્ગદર્શન આપ્યું હતું. 13 ફૂટના બેઝ પર દાદાની મૂર્તિ દક્ષિણ મુખે રાખવામાં આવશે. – 7 કિલોમીટર દૂરથી દેખાશે આ મૂર્તિ – કિંગ ઓફ સાળંગપુર પ્રોજેક્ટ 1,35,000 સ્ક્વેર ફૂટમાં આકાર લેશે.પ્રોજેક્ટમાં હિન્દુ ધર્મની કળા, સંસ્કૃતિ અને ગૌરવની અનુભૂતિ થશે – 3થી 4 સ્ટેપ્સમાં મૂર્તિ લગાવવામાં આવશે. દાદાની મૂર્તિ સાળંગપુરની શાનમાં વધારો કરશે – દાદાની મૂર્તિ સામે ગાર્ડન બનાવવામાં આવશે. – એમ્ફી થિએટરમાં 1500 દર્શનાર્થીઓ બેસીને લાઇટ એન્ડ સાઉન્ડનો ફાઉન્ટેન શોની મજા માણી શકશે.

આમ સાળંગપુરના વિશ્વવિખ્યાત કષ્ટભંજનદેવ હનુમાન મંદિરમાં ભક્તોને થોડા જ દિવસોમાં નવું નજરાણું જોવા મળશે.તમનેજણાવી દયે કે મૂળ રાજસ્થાનના નરેશભાઈ કુમાવતે આ મૂર્તિ બનાવી છે.આખો પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ આચાર્ય રાકેશપ્રસાદજી અને વડતાલ બોર્ડના સાથ સહકારથી સંતો દ્વારા દાદાની મૂર્તિ પ્રસ્થાપિત કરવામાં આવશે.