- સિંગાપોરે દિવ્યાંગો માટે 2030 સુધીનો રોડમેપ જારી કર્યો…
સિંગાપોર વર્ષ 2030 સુધી દિવ્યાંગો માટે સૌથી સુવિધાજનક દેશ બનશે. સિંગાપોર સરકારે દેશમાં દિવ્યાંગો માટે વિવિધ સુવિધા વધારવા એક રોડમેપ જારી કર્યો છે, જેમાં રોજગારી, શિક્ષણ અને દેખભાળ તથા જાહેર સ્થળોએ તેમની જરૂરિયાતો પૂરી કરવા સહિત અનેક સૂચનો કરાયા છે. 40% દિવ્યાંગોને પણ નોકરી, અભ્યાસમાં છૂટ સહિતની સુવિધા આપવાનો પ્રસ્તાવ કરાયો છે. પ્રજ્ઞાચક્ષુ માટે રસ્તો પાર કરવા દરેક ચાર રસ્તે ઓડિયો સિગ્નલ સિસ્ટમ ઓન ડિમાન્ડ ઉપલબ્ધ કરાશે. તેમજ સિંગાપોરમાં ડાયવર્સિટી, ઇક્વિટી એન્ડ ઇન્ક્લુઝન ક્લાયન્ટ સોલ્યુશનના મેનેજર એલિસ્ટર ઓંગ સેરેબ્રલ પાલ્સીથી પીડિત છે. આ બાબતે ઓંગ કહે છે કે, દિવ્યાંગો માટેની આ નવી યોજના તેમને રોજેરોજનું કામ સ્વતંત્ર રીતે કરવા તેમજ સમાજમાં સંપૂર્ણપણે એકીકૃત થઈ જવા સક્ષમ બનાવશે. ફૂ ક્વોક એલએલસીના એડવાઇઝર ચિયા યોંગના હાથ-પગ કામ નથી કરતા.તેઓ કહે છે કે, મેં એલએલબી કર્યું છે, પરંતુ કોર્ટમાં કોઇ વકીલ ઇન્ટરશિપ કરાવવા તૈયાર ના થયા. આ નવી યોજનાથી આવી અનેક મુશ્કેલીઓ દૂર થશે. એમ લાગી રહ્યું છે