Published by : Vanshika Gor
ઓપરેશન કાવેરી હેઠળ સુદાનમાં ફસાયેલા ભારતીયોને સુરક્ષિત પાછા લાવવાની પ્રયાસ હજુ ચાલી રહ્યા છે. 278 લોકોને આઈએનએસ સુમેધા દ્વારા રવાના કરાયા બાદ વિમાન દ્વારા પણ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવી રહ્યા છે. માહિતી અનુસાર ભારતીય વાયુસેનાના બે એરક્રાફ્ટની મદદથી પહેલા 121 અને પછી 135 એમ કુલ 256 જેટલા લોકોને હવાઈ માર્ગે બચાવવામાં આવ્યા છે. આ લોકોને જિદ્દાહ પહોંચાડી દેવાયા છે. આઈએનએસ સુમેધા પણ જિદ્દાહ પહોંચી ગયું છે.
સુદાનમાં હિંસા વચ્ચે ફસાયેલા ભારતીયોને બહાર કાઢવા ભારત સરકાર ઓપરેશન કાવેરી ચલાવી રહી છે. ભારતના વિદેશ મંત્રાલય તરફથી પ્રાપ્ત માહિતી અનુસાર આઈએનએસ સુમેધા 278 લોકોને લઈને જિદ્દાહ પહોંચી ગયું છે. બીજી તરફ સુદાન ઈન્ડિયન એરફોર્સનું C-130J એરક્રાફ્ટ પણ 135 ભારતીયોને લઈને જિદ્દાહ પહોંચી ગયું છે. ભારતીયોની આ ત્રીજી બેચ હતી. 121 લોકો સાથે બીજી બેચ પણ જિદ્દાહ પહોંચી ગઈ હતી.
વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે ટ્વિટ કરીને સાઉદી અરેબિયાના વિદેશ મંત્રી ફૈઝલ બિન ફરહાન અને અન્ય અધિકારીઓનો સહયોગ બદલ આભાર માન્યો હતો. જ્યારે કેન્દ્રીય મંત્રી વી મુરલીધરને ટ્વિટ કર્યું, “જે લોકો જિદ્દાહ પહોંચી ગયા છે, તેઓ માટે ભારતની આગળની યાત્રા ટૂંક સમયમાં શરૂ થશે.