Sunday, June 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateNation Updateસુપ્રીમ કોર્ટનો આદેશ ૨૦૧૬માં નોટબંધી નિર્ણયના દસ્તાવેજો ૧૦મી ડિસેમ્બર સુધી રજુ કરવાનો...

સુપ્રીમ કોર્ટનો આદેશ ૨૦૧૬માં નોટબંધી નિર્ણયના દસ્તાવેજો ૧૦મી ડિસેમ્બર સુધી રજુ કરવાનો આદેશ..

કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ ૨૦૧૬માં નોટબંધી લાગુ કરવામાં આવી હતી. જેના વિરુદ્ધમાં સુપ્રીમ કોર્ટમાં અનેક અરજીઓ થઇ છે. આ અરજીઓની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને આરબીઆઇને આદેશ આપ્યો છે કે નોટબંધીનો જે નિર્ણય લેવામાં આવ્યો તેની સંપૂર્ણ જાણકારી લેખીતમાં દસ્તાવેજોની સાથે સુપ્રીમ કોર્ટમાં રજુ કરવામાં આવે. આ સાથે જ પાંચ ન્યાયાધીશોની બંધારણીય બેંચે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો.૨૦૧૬માં નોટબંધી લાગુ કરવામાં આવી હતી. જેના વિરુદ્ધમાં સુપ્રીમ કોર્ટમાં અનેક અરજીઓ થઇ છે. આ અરજીઓની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને આરબીઆઇને આદેશ આપ્યો છે કે નોટબંધીનો જે નિર્ણય લેવામાં આવ્યો તેની સંપૂર્ણ જાણકારી લેખીતમાં દસ્તાવેજોની સાથે સુપ્રીમ કોર્ટમાં રજુ કરવામાં આવે. આ સાથે જ પાંચ ન્યાયાધીશોની બંધારણીય બેંચે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો.

સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ એસ એ નઝીરની આગેવાનીમાં ગંઠીત બંધારણીય બેંચ સમક્ષ કેન્દ્ર સરકાર વતી એટર્ની જનરલ આર વેંકટરમણી, અરજદારોના વકીલો જેમ કે વરીષ્ઠ વકીલ પી ચિદંબરમ અને શ્યામ દિવાને પોતાની દલીલો રજુ કરી હતી. બેંચે આ દલિલોને સાંભળ્યા બાદ પોતાનો ચુકાદો અનામત રાખી દીધો છે. સાથે જ કેન્દ્ર સરકાર અને આરબીઆઇને પોતાનો જવાબ ૧૦મી ડિસેમ્બર સુધી રજુ કરવાનો આદેશ પણ આપ્યો છે.

બેંચ સમક્ષ કેન્દ્ર સરકાર વતી એટર્ની જનરલે કહ્યું હતું કે અમે નોટબંધીના નિર્ણયની સંપૂર્ણ વિગતો લેખીતમાં બંધ કવરમાં રજુ કરીશું. સુપ્રીમ કોર્ટમાં નોટબંધીની સામે ૫૮ જેટલી અરજીઓ થઇ હતી જેની સુનાવણી હવે પૂર્ણ કરી લેવામાં આવી છે. આ પહેલા મંગળવારે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારના નાણાકીય નિર્ણયો કે નીતિઓમાં ન્યાયપાલિકા દખલ ના દઇ શકે તેનો મતલબ એ પણ નથી થતો કે અમે હાથ ઉપર હાથ રાખીને બેસી રહીએ.સરકાર દ્વારા નિર્ણય લેવામાં શું શું ધ્યાનમાં રાખવામાં આવ્યું તેની તપાસ થવી જ જોઇએ. આ પહેલા પી. ચિદંબરમે કોર્ટને જણાવ્યું હતું કે નોટબંધીનો નિર્ણય કેન્દ્ર સરકાર પોતાની રીતે ના લઇ શકે, આ માટે આરબીઆઇ બોર્ડની ભલામણો જરૂરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!