Home Election 2022 સુરતમાં રાહુલ ગાંધી અને અશોક ગેહલોતે કહ્યું…

સુરતમાં રાહુલ ગાંધી અને અશોક ગેહલોતે કહ્યું…

0

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પહેલા ચરણની સીટો પર ઉમેદવારી અને ફોર્મ પાછા ખેંચવાની પ્રક્રિયા પૂરી થયા બાદ ચૂંટણી પ્રચાર પૂરજોશમાં શરૂ થયો છે. ગુજરાતની સત્તા પર કબજો કરવા માટે સત્તાધારી ભાજપની સાથે જ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ પૂરું જોર લગાવી રહી છે. દરેક પાર્ટીએ ગુજરાતમાં ચૂંટણી માટે પોતાના મોટા નેતાઓને મેદાનમાં ઉતારી દીધા છે. ત્યારે આજે ગુજરાતમાં PM મોદી, રાહુલ ગાંધી અને અરવિંદ કેજરીવાલ ત્રણેય મતદાતો સમક્ષ પ્રચાર કરતા જોવા મળશે. આજે રાહુલ ગાંધી દ્વારા સુરતના મહુવામાં જનમેદનીને સંબોધવામાં આવી.

રાહુલ ગાંધી:

તમે આટલી ગરમીમાં  આવ્યા છો તે બદલ ધન્યવાદ. 70 દિવસથી અમે 2000 કિલોમીટર  ચાલ્યા છીએ અને 1500 કિલોમીટર હજુ પણ ચાલવાના છીએ. અમારી સાથે લાખો લોકો, ખેેડૂતો, બેરોજગારો, અલ્પસંખ્યકો, મહિલાઓ વગેરે અમારી સાથે ચાલી રહ્યા છીએ. મીડિયા બહુ બતાવતી નથી પણ તમે આવો તો ત્યાં નદી જેવું  લોકો વહી રહ્યા હોય તેવું લાગે છે. નદીમાં કોઈ નફરત નહીં, કોઈ ક્રોધ નહીં, હિંસા નહીં ફક્ત દયા કરુણા અને પ્રેમ રહે છે. કોઈ પડી પણ જાય તો પણ તરત બધા તેમની મદદ કરે છે. પ્રેમની આ એક યાત્રા છે. તેમાં બધા જ આવી જાય છે તેમાં કોઈ નથી પુછતું, તમારી ઉંમર શું છે, મહિલા, પુરુષ, ધર્મ, જાતિ શું છે . સવારના વહેલા છ વાગ્યાથી શરૂ થાય અને સાંજે સાત વાગ્યે તો પણ કોઈને થાક લાગતો નથી બધા ઉત્સાહમાં રહે છે. અહીં હેલિપેડથી કારમાં આવવાનું થયું તો પણ કારમાં ન બેઠા અને ચાલતા અહીં આવ્યા છીએ. લોકોના પગમાં ફોડલા પડી ગયા, બે વ્યક્તિ સ્વર્ગમાં ગયા છતા યાત્રા ચાલુ રહેશે. ગાંધીજીએ આ રસ્તો બતાવ્યો છે તે પ્રમાણે અમે કામ કર્યું છે. આ યાત્રામાં ગુજરાતનો ઈતિહાસ છે, કહાની છે, લાગણી છે અને ગુજરાતના સંસ્કાર છે. યાત્રામાં ખુશી થઈ રહી છે અને દુઃખ પણ છે. તમે પુછશો દુઃખ કેમ, ભારત જોડાઈ રહ્યું છે, તો દુઃખ કઈ વાતનું. દુઃખ ખેડૂતોને વાત કરતા થાય છે, આદિવાસીઓને મળીને, બેરોજગારોને મળીને દુઃખ થાય છે. ખેડૂતોને વ્યાજબી ભાવ, વીમા, દેવા માફી નથી મળતી, યુવાનો બેરોજગાર છે તેમના સપનાઓ તૂટી રહ્યા છે. એન્જિન્યરિંગ કરી પેટે પાટા બાંધી અને મજુરી કરવી પડે છે.

અશોક ગેહલોત

વારંવાર અમિત શાહ અને પ્રધાનમંત્રીને ગુજરાત કેમ આવવું પડે છે. હવે તે ડરી ગયા છે. 27 વર્ષ બહુ લાંબો સમય કહેવાય. અમે તેમને મોરબી ઘટના પર પણ કોઈ દોષ ન આપ્યો પરંતુ કહ્યું કે કોર્ટના જજની દેખરેખમાં તપાસ થાય તેમને તે પણ મંજુર ન હતું. હાઈકોર્ટે જાતે સંજ્ઞાન લેવું પડ્યું. હવે તમારી પાસે સમય આવી ગયો છે સરકાર બદલવાનો. ઘોષણા પત્ર રાહુલ ગાંધી કહે છે કે વાયદા પુરા ન કરવા હોય તો તેમાં લખશો નહીં અને વાયદો કરો તો પુરો કરો અને તો જ લખો. હિમાચલમાં કેજરીવાલ જુઠા વાયદા કરતા. હવે તે અહીં આવી ગયા અને જુઠા વાયદા કરવા લાગ્યા. કૃપા કરીને હું તમે નિવેદન કરું છું કે અમને તક આપો. ભાજપના કાર્યકર્તાઓએ અમારા પર હુમલા કર્યા અને તેમાં કેસ થઈ ગયો બોલો. ક્યાં છે ડેમોક્રેસી. આલોચનાને આ લોકો સહન નથી કરી શકતા. હવે સમય આવી ગયો છે કે  આ બધી બાબતોનો તમે જવાબ આપો.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version