ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને આ વખતે સુરતના બસ ટ્રાવેલ્સના સંચાલકોમાં નારાજગી જોવા મળી રહી છે. સુરતમાં વસતા મતદાતાઓને ગામ મતદાન કરવા માટે બસની વ્યવસ્થા કરવામાં આવે છે જેને લઇને બસનું બુકિંગ પણ શરૂ થઈ ગયું છે પરંતુ આ વખતે નિરાશા જોવા મળી રહી છે. સુરત થી 200 થી વધારે બસ અને હજાર જેટલી કારો દ્વારા લોકો સૌરાષ્ટ્રના અલગ અલગ ગામોમાં મતદાન કરવા માટે જાય છે. પરંતુ આ વખતે સુરત અને સૌરાષ્ટ્રની મતદાન તારીખ એક હોવાથી સુરતના મતદારોને મતની અસર સૌરાષ્ટ્રના અનેક ગામડાઓ પર પડશે. કારણ કે સૌરાષ્ટ્રના ગામડાઓમાં આર્થિક મદદ સુરતના લોકો દ્વારા પૂરી પાડવામાં આવે છે આ તમામ ગામોમાંથી લોકો રોજગારી માટે ધંધા વેપાર માટે સુરત આવીને વસવાટ કર્યો છે. તેઓ ગામડાઓમાં રહેતા હોય પરંતુ તેઓ રોજગારી અહીંથી કરે છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સુરતથી ભરવાડા, બોટાદ ગરડા, મહુવા, તળાજા, ભાવનગર, સાવરકુંડલા આ તમામ સૌરાષ્ટ્રની મુખ્ય સીટીઓ છે.ત્યાંના ઉમેદવારો સુરતથી જે બસની વ્યવસ્થા કરાવતા હોય છે. પરંતુ આ વખતે સુરત અને સૌરાષ્ટ્રની મતદાન તારીખ એક હોવાથી લગ્નની તારીખો પણ એક હોવાથી અહીંથી બસ લઈ જવાની માંગ ખૂબ જ ઓછી છે. છેલ્લા 2017ની વિધાનસભાની ચૂંટણીમાં 400 બસનું બુકિંગ હતું.આ વખતે 200 બસનું જ બુકિંગ થયું છે.