- આગમાં કોઈ પણ જાનહાની નહિ
સુરત પાલ વિસ્તારમાં સ્કૂલ બસમાં આજરોજ એકાએક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.
સુરતમાં બસોમા આગ લાગવાની ઘટનાઓ અવાર નવાર સામે આવે છે ત્યારે આજે બસમાં આગ લાગવાની વધુ એક ઘટના સામે આવી છે. સુરત પાલ વિસ્તારમાં આજરોજ સ્કૂલ બસમાં એકાએક આગ ફાટી નીકળી હતી જેને પગલે વિસ્તારમાં ભાગદોડ મચી જવા પામી હતી. આગને પગલે ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી હતી. અડાજણ ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. અને ગણતરીના કલાકોમાં આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જો કે આગમાં કોઈ પણ જાનહાની ન થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. આગ ક્યા કારણોસર લાગી છે તે હાલ જાણી શકાયું નથી.
(ઇનપુટ : જયેંદ્ર પાંડે, સુરત)