Published By : Disha PJB
સુરતમાં આગામી વર્ષ 2024 લોકસભાની ચૂંટણીમાં પણ ભાજપ કાયમ રહે આ માટે ભારતીય જનતા પાર્ટીએ કમર કસી લીધી છે. સુરત અવધ ઉથોપિયા ખાતે ભારતીય જનતા પાર્ટીની અગત્યની બેઠક યોજવામાં આવી છે.
સુરતમાં આગામી વર્ષ 2024 લોકસભાની ચૂંટણીમાં પણ કાયમ રહે આ માટે ભારતીય જનતા પાર્ટીએ કમર કસી લીધી છે. સુરત અવધ ઉથોપિયા ખાતે ભારતીય જનતા પાર્ટીની અગત્યની બેઠક યોજવામાં આવી છે. આ બેઠકમાં પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની અધ્યક્ષતામાં યોજવામાં આવી છે.

જેમાં અમદાવાદ, સુરત, ગાંધીનગર, વડોદરા, રાજકોટ, જુનાગઢ, ભાવનગર અને જામનગરના મેયર, ડેપ્યુટી મેયર, જિલ્લા પ્રમુખ, શહેર પ્રમુખ, સ્ટેન્ડિંગ ચેરમેન, શાસક પક્ષના નેતા, લોકસભાના તમામ પ્રભારી, અને મનપાના હોદ્દેદારો સહિત ધારાસભ્ય હાજર રહ્યા છે. આ બેઠકમાં લોકસભા ચૂંટણી પહેલા વિકાસલક્ષી જે કામો ભાજપની અધ્યક્ષતામાં મનપામાં કરવામાં આવ્યા છે તે સાથે સંગઠનાત્મક મુદ્દાઓને લઈ ચર્ચા હાથ ધરવામાં આવી છે.
આ બાબતે સુરત શહેર ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરાએ જણાવ્યું હતું કે, આઠ મહાનગરના જે પણ ધારાસભ્ય સહિત નેતાઓ છે તેઓ સુરત આવ્યા છે અને સુરત યજમાન છે. સુરત મહાનગરપાલિકાના તમામ પ્રોજેક્ટના પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવશે. સાથે જે કામગીરી અહીં થઈ છે તે અંગેની પણ જાણકારી આપવામાં આવશે. આ સાથે અન્ય જે મહાનગર છે ત્યાં શું કામગીરી થઈ છે તે અંગેની પણ ચર્ચા હાથ ધરાશે. પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અને સંગઠન મહામંત્રી રત્નાકરજી પણ હાજર રહ્યા હતા.
ઇનપુટ : જયેન્દ્ર પાંડે, સુરત.