Published by : Rana Kajal
ભરૂચની તિજોરી (ટ્રેઝરી) ઓફિસ માંથી આજરોજ સેવા નિવૃત્ત થતા તિજોરી અધિકારી સુ.શ્રી રંજન બહેન બળવંતસિંહ ઘરિયા પોતાની નિવૃત્તિ વયને વધાવવા બેસહારા વયોવૃદ્ધ વડીલોને “મનમૈત્રી ગોવર્ધન નિઃશુલ્ક ભોજન સેવા” દ્વારા તેઓના ઘરે બેઠાં ટિફિન પહોંચાડી જમાડવામાં આવ્યા હતા.
આમ પરમાર્થ થી પુણ્યની ગઠરી બાંધવાનો નૂતન અભિગમ અપનાવી અન્યોને સેવા માટે પ્રેરણા પૂરી પાડી નિવૃત્તિમાં પણ વિશિષ્ટ સેવામાં પ્રવૃત બન્યા હતા. આ સેવામાં સંસ્થાના સન્નિષ્ઠ સેવાભાવી કાર્યકર્તા ભરતભાઈ શુક્લાએ સેવા માટે પ્રેરણા આપી આંગળી ચિંધ્યાના પુણ્ય ભાગી બને છે તેના માટે સંસ્થા પરિવાર તેઓનો સહર્ષ આભાર સ્વીકાર કરવા સાથે ધન્યવાદ પાઠવી તેઓના સાથ, સહકાર અને સહયોગને વધાવ્યો હતો.

રંજન બહેન નિવૃત્તિ માં પણ સેવા પ્રવૃત થઈ પરમાર્થ કરી પુણ્યની ગઠરી બાંધવા પ્રયત્નશીલ થયા છે તેવા તબક્કે પ્રભુ તેઓને ખૂબ સેવા ભક્તિ અર્પો અને તે માટે તન, મન અને ધન થી શકિત પ્રદાન કરો એવી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.




