Thursday, July 24, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeDharmik Newsસોમનાથ ના મંદિરનાં નિર્માણ ની અવનવી વાતો...

સોમનાથ ના મંદિરનાં નિર્માણ ની અવનવી વાતો…

Published By:-Bhavika Sasiya

  • ભોંયરામાં મૂર્તિ બનતી અને અવાજ ન આવે એ માટે ઢોલ-નગારાં વગાડવામાં આવતાં…

સોમનાથ મંદિરનાં નિર્માણ નુ કામકાજ અત્યંત તકેદારી સાથે કરવામા આવ્યું હતું સોમનાથ મહાદેવની મૂર્તિ બનાવવાનું કામ શરૂ થયું એ અત્યંત ગુપ્ત રીતે કરવામાં આવતું હતું. કહેવાય છે કે મૂર્તિ બનાવવાનું કામ કરવા માટે ભોંયરું બનાવવામાં આવ્યું હતું અને એ ભોંયરામાંથી અવાજ બહાર ન આવે એ માટે આ આખા વિસ્તારમાં ઉત્સવ મનાવવામાં આવતો, જેમાં ઢોલ-નગારાં અને અન્ય વાજિંત્રો વાગતાં રહે એવું આયોજન કરવામાં આવતું.

રાણી અહલ્યાબાઈ હોળકર વતી સોમનાથ મહાદેવ મંદિરના હાલહવાલ જોવા માટે આવેલા લોકોએ જોયું કે મંદિરના માત્ર અવશેષ જ બચ્યા છે.જ્યારે દીવાલો નહોતી રહી એટલે શિખરોનું પણ અસ્તિત્વ નહોતું રહ્યું. મંદિર નવું જ બનાવવાનું હતું અને એને માટે મહારાણી અહલ્યાબાઈ બધી રીતે તૈયાર હતાં. એક તબક્કે તેમણે પોતાનો રાજમહેલ પણ ગીરવી મૂકવાની તૈયારી કરી લીધી હતી અને નક્કી કરી લીધું હતું કે મૂળ સ્થાને હતું એ જ પ્રકારનું મંદિર બનાવશે અને મહાદેવની સ્થાપના ફરી થશે, પણ સૌથી પહેલો વિરોધ મુસ્લિમ શાસકો દ્વારા શરૂ થયો, જે ધીમે-ધીમે મોટો થવા માંડ્યો એટલે મુસ્લિમ શાસકોના પક્ષે બ્રિટિશ સલ્તનત પણ જોડાઈ અને તેમણે પણ મંદિરના પુનઃ નિર્માણનો વિરોધ કર્યો. બ્રિટિશ સલ્તનતના વિરોધમાં મુદ્દો આખો બદલી નાખવામાં આવ્યો અને સામાજિક અરાજકતાને આગળ ધરી દેવામાં આવી હતી. સાથેજ હિન્દુસ્તાનમાં આંતરિક યુદ્ધ શરૂ થાય એવું બ્રિટિશરો ઇચ્છતા નહોતા. હજી તેમણે દેશ પર સંપૂર્ણપણે કબજો નહોતો કર્યો, તો અમુક વિસ્તારમાં હજી પણ તેમણે વિરોધની સામે ઝઝૂમવાનું હતું. આવી પરિસ્થિતિમાં મહારાણી અહલ્યાબાઈને કારણે જો ધર્મયુદ્ધ છેડાઈ જાય તો પરિસ્થિતિ બગડે.

ઇતિહાસકારોએ નોંધ્યું છે કે મહારાણી પોતાની વાત પરથી પાછાં નહીં વળે એ જાણ્યા પછી બ્રિટિશરાજ દ્વારા ઇન્દોર પર હુમલો કરવા સુધીની તૈયારી કરી લેવામાં આવી હતી અને એની સાથોસાથ સોમનાથ મંદિરની આસપાસ પણ કિલ્લેબંધી કરી લીધી હતી.સમય, સંજોગ અને શિવજીની ઇચ્છાને ધ્યાનમાં રાખીને મહારાણી અહલ્યાબાઈએ પોતાના નિર્ણયમાં ચેન્જ કર્યો અને તેમણે નક્કી કર્યું કે મંદિર બનશે અને શિવજીની સ્થાપના પણ થશે, પરંતુ હવે મુસ્લિમ શાસક કે બ્રિટિશ સલ્તનતને એની જાણ પણ થવા નહીં દેવાય. મહારાણીએ આદેશ પછી સરસમજાની યુક્તિ કરી અને તેમણે સામેથી જ બ્રિટિશ સલ્તનત સાથે મીટિંગ કરીને સોમનાથમાં મંદિર બનાવવાની દરખાસ્ત પાછી ખેંચી લેવાનું કહી દીધું અને સાથોસાથ એ પણ કહી દીધું કે અમે મંદિર બનાવીશું, પણ એ બ્રિટિશ સલ્તનતના નિયમ અનુસાર બનાવીશું. બ્રિટિશ અધિકારીએ મૂળ મંદિરથી અમુક અંતર દૂર મંદિર બનાવવાની હામી ભણી એટલે મહારાણીએ પ્રભાસ પાટણના એ સમયના રાજવી કૃષ્ણસિંહજી પાસેથી સત્તાવાર રીતે પરવાનગી લીધી અને એ પરવાનગી પણ ખાનગીમાં લેવામાં આવી. મળેલી એ પરવાનગી પછી સૌથી પહેલું કામ જે કામ શરૂ થયું એ કામ હતું શિવલિંગના સર્જનનું.

મૂર્તિનું કામ શરૂ થયું એ અત્યંત ગુપ્ત રીતે કરવામાં આવતું હતું. કહે છે કે મૂર્તિ બનાવવાનું કામ કરવા માટે ભોંયરું બનાવવામાં આવ્યું હતું અને એ ભોંયરામાંથી અવાજ બહાર ન આવે એ માટે આખા વિસ્તારમાં ઉત્સવ મનાવવામાં આવતો, જેમાં ઢોલ-નગારાં અને અન્ય વાજિંત્રો વાગતાં રહે એવું આયોજન કરવામાં આવ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!