નવી દિલ્હી
સુપ્રીમ કોર્ટે ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ(આઈટી એક્ટ)-2000ની કલમ 66 A હેઠળ કેસ નોંધવાને લઈ ગંભીર નારાજગી વ્યક્ત કરી છે. આ એકટ એવાને લાગુ પડતો હતો જેઓ સોશ્યલ મીડિયામાં કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા માટે અણ છાજતી ટિપ્પણી કરે..કોર્ટે 2015માં શ્રેયા સિંઘલ કેસમાં 66 Aને ગેરબંધારણીય જાહેર કર્યું હતુ. ચીફ જસ્ટિસ યૂયૂ લલિત, જસ્ટિસ એસ રવીન્દ્ર ભાટ અને જસ્ટિસ અજય રસ્તોગીની બેન્ચે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આદેશ આપ્યો કે, 66 A હેઠળ ન તો કોઈ વિરૂદ્ધ કેસ ચલાવામાં આવે, ન કોઈ એફઆઈઆર નોંધાય અને ન તો કોઈની ધરપકડ થાય. કેમકે જે કલમ સાત વર્ષ પહેલા રદ થઇ ચૂકી છે, તે હેઠળ 11 રાજ્યમાં 1307 કેસ નોંધાયા હતા. કલમ 66એ વર્ષ 2015માં જ રદ કરી દેવાઈ હતી, ત્યારે તે અંતર્ગત 11 રાજ્યમાં 229 કેસ નોંધાયેલા હતા. પરંતુ હાલના વર્ષોમાં આ કલમ હેઠળ 11 રાજ્યમાં નોંધાયેલા કેસ 1307 કેસ થઇ ગયા છે, જ્યારે અનેક પેન્ડિંગ છે. જોકે, બિહારે આ કલમ હેઠળ નોંધેલા કેસની માહિતી નથી આપી, પરંતુ સ્વીકાર્યું છે કે નવા કેસ નોંધાયા છે. જે કલમ રદ થઈ ગઇ હોય તેમ છતાં ફોજદારી કેસ થયા હોય અને ધરપકડ થઈ હોય તેવા આશ્ચર્ય જનક બનાવો બન્યા હતા જેની નોંધ સુપ્રિમ કોર્ટે લીઘી હતી.