Home News Update Nation Update સ્પષ્ટ વાણી માટે જાણીતા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનું નિવેદન…

સ્પષ્ટ વાણી માટે જાણીતા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનું નિવેદન…

0

Published By:-Bhavika Sasiya

  • એક-એક કિલો મટન વહેંચ્યા પછી પણ ચૂંટણી હારી ગયા…
  • મતદારો દરેકનો માલ ખાય છે અને જેને મત આપવાનો હોય તેને જ મત આપે છે…

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી તેમની સ્પષ્ટ વાણી માટે ખુબ જાણીતા છે. ફરી એકવાર પોતાની ચૂંટણીનો કિસ્સો સંભળાવતા તેમણે કહ્યું કે, એક-એક કિલો મટન વહેંચ્યા પછી પણ તેઓ ચૂંટણી હારી ગયા હતા.
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી એ જણાવ્યુ કે, મતદારો ખૂબ જ સ્માર્ટ હોય છે, તેઓ દરેકનો માલ ખાય છે અને જેને મત આપવાનો હોય તેને મત આપે છે.

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી મહારાષ્ટ્ર રાજ્ય શિક્ષક પરિષદ દ્વારા આયોજિત કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે, મેં ઘણી ચૂંટણી લડી છે. મેં બધું જ અજમાવ્યું છે. મેં એક વાર એક પ્રયોગ કર્યો અને એક-એક કિલો મટન ઘરે-ઘરે પહોંચાડ્યું. પરંતુ અમે ચૂંટણી હારી ગયા.

નીતિન ગડકરીએ કહ્યું, લોકો ખૂબ જ સ્માર્ટ છે. લોકો કહે છે, જે આપે તે ખાઓ. તે આપણા પિતાની જ મિલકત છે. પણ મત તો એને જ અપાય છે જેને આપવાના હોય છે. તેમણે કહ્યું, જ્યારે તમે તમારા લોકોમાં વિશ્વાસ બનાવો છો ત્યારે જ તેઓ તમારામાં વિશ્વાસ કરે છે અને તેમને કોઈ પોસ્ટર બેનરની જરૂર નથી. આવા મતદારને કોઈ લોભની જરૂર નથી કારણ કે તેમને તમારામાં વિશ્વાસ છે અને તે લાંબા ગાળાના છે ટૂંકા ગાળાના નથી.

નીતિન ગડકરીએ કહ્યું કે, હોર્ડિંગ્સ લગાવીને કે મટન પાર્ટી આપીને કોઈ ચૂંટણી જીતી શકાતી નથી. જનતાનો વિશ્વાસ અને પ્રેમ બનાવો. ચૂંટણી વખતે લાલચ બતાવવાને બદલે લોકોના દિલમાં વિશ્વાસ અને પ્રેમ જગાવો એમ પણ મંત્રીએ જણાવ્યું હતું.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version