Published by : Rana Kajal
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની લગભગ તમામ આગાહીઓ સાચી પડતી હોય છે તેથી જ તેમની આગાહી જાણી ખેડુતો ખેતીકામનું આયોજન કરતા હોય છે. આવી પરફેક્ટ આગાહી કરતા અંબાલાલ પટેલની હવે આવનાર સમય માટે કેવી આગાહી કરવામાં આવી છે તેની વિગત જોતાં તેઓ જણાવે છે કે આગામી તા. 14, 15, 16 તારીખે વરસાદની શક્યતા છે સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાત સહિત ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જામશે. રાજ્યના અનેક જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. કમોસમી વરસાદને લઇને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું હવામાનને લઈને નિવેદન આપ્યું છે. તેઓ જણાવે છે કે રાજ્યમાં વરસાદ રહેવાની સંભાવના છે. તેમજ દક્ષિણ ગુજરાતના ભાગોમાં મૂશળધાર વરસાદની સંભાવના છે. અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદની શક્યતા છે. આ વરસાદ આફતના એંધાણ છે. અંબાલાલ પટેલે આગામી 14, 15, 16 તારીખે વરસાદની શક્યતા કરી છે.