Sunday, June 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateMy Gujaratહનુમાન દાદાની 54 ફૂટની મૂર્તિ તૈયાર, આ તારીખે અમિત શાહ કરશે લોકાર્પણ…

હનુમાન દાદાની 54 ફૂટની મૂર્તિ તૈયાર, આ તારીખે અમિત શાહ કરશે લોકાર્પણ…

Published by : Vanshika Gor

સાળંગપુરમાં હનુમાનજીની મંદિર ખાતે આગામી હનુમાન જયંતિના દિવસે હનુમાન દાદાની 54 ફૂટ ઊંચી મહાકાય પ્રતિમાનું કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. આ સાથે ગુજરાતના સૌથી મોટા ભોજનાલયનું પણ લોકાર્પણ કરાશે. ત્યારે હવે ભક્તો આગામી 6 એપ્રિલે યોજાનારા આ લોકાર્પણ કાર્યક્રમની કાગડોળે રાહ જોઈ રહ્યા છે.

ગુજરાતનું સૌથી મોટું ભોજનાલય સાળંગપુરમાં
બોટાદના બરવાળા તાલુકામાં આવેલા વિશ્વ પ્રસિદ્ધ સાળંગપુર ધામમાં આગામી 6 એપ્રિલના રોજ હનુમાન જયંતિ પર ‘કિંગ્સ ઓફ સાળંગપુર’ હનુમાન દાદાની પંચધાતુથી નિર્મિત 54 ફૂટ ઊંચી મૂર્તિનું કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ થવાનું છે. આ સાથે જ સાળંગપુર રૂ.55 કરોડના ખર્ચે ગુજરાતના સૌથી મોટા ભોજનાલયનું પણ લોકાર્પણ કરવામાં આવશે.

હનુમાનદાદાની મૂર્તિ 7 કિમી દૂરથી દેખાશે
સાળંગપુરમાં મૂકાયેલી હનુમાન દાદાની મૂર્તિ એટલી વિશાળ હશે કે 7 કિલોમીટર દૂરથી જ તેના દર્શન થશે. આ મૂર્તિ પંચધાતુમાંથી બનાવાઈ છે અને તેને હરિણાયાના ગુરુગ્રામમાં તૈયાર કરાઈ છે. તેનું વજન 30 હજાર કિલો જેટલું છે. સમગ્ર કિંગ ઓફ સાળંગપુર પ્રોજેક્ટ 1.35 લાખ સ્ક્વેર ફૂટમાં આકાર લેશે અને દાદાની મૂર્તિ દક્ષિણ મુખે રાખવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!