Published By : Patel Shital
- 2-3 દિવસની લોકસભામાં રજા હોય ભરૂચના સાંસદ મનસુખ વસાવા વતન આવ્યા…
- નનામા લેટર અને હપ્તાખોરી અંગે ચૈતર વસાવાને જાહેર મંચ પર આવવા પડકાર ફેંક્યો…
- આપ ધારાસભ્ય અને સાંસદ વચ્ચે પત્રબાજી બાદ હપ્તાખોરી અંગે આક્ષેપ-પ્રતિ આક્ષેપનું આગળ વધતું રાજકારણ…
ગુજરાતમાં લોકસભા ચૂંટણીઓ પેહલા જ રાજકારણનો તું તું મેં મેં અને આક્ષેપ-પ્રતિ આક્ષેપનો સંગીત ખુરશીનો ખેલ ભરૂચ સાંસદ અને આપના ચૈતર વસાવા વચ્ચે અટકવાનું નામ લઈ રહ્યો નથી.
નર્મદા જિલ્લામાં તમામ નેતાઓ હપ્તાખોર છે. એવા ફરતા થયેલા નનામી પત્રના વિવાદને દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા રાજકીય મકસદ પાર કરવા હવા આપી રહ્યાં હોવાનું હવે ભરૂચના BJP સાંસદ મનસુખ વસાવાએ કહ્યું છે.
આપના ધારાસભ્ય નનામાં લેટરમાં લખેલા ભાજપના નેતાઓ અને આગેવાનોના નામ વારંવાર જાણી જોઈને લઈ તેઓને સમગ્ર મુદ્દે બદનામ કરી રહ્યાનો પણ આક્ષેપ સાંસદે કર્યો છે.
બીજી તરફ આપના ચૈતર વસાવાએ પત્રમાં ભાજપના નેતાઓ સાથે તેઓનું નામ પણ હોય ભાજપ સાંસદ જાહેર મંચ પર આવી ખુલાસો નહિ કરે તો માનહાનિનો દાવો કરવાની પણ વાત કરી દીધી છે.
જેની સામે ફરી BJP ભરૂચ MP એ પ્રતિક્રિયા આપી છે. મિડિયાને આપેલા નિવેદનમાં મનસુખભાઇ વસાવાએ કહ્યું છે કે, મારે મિડિયા સમક્ષ આવવાની જરૂર નથી પણ હાલ લોકસભામાં બે થી ત્રણ દિવસની રજા હોય તેઓ રાજપીપળા આવ્યા છે.
ચૈતર વસાવા કે આપના નેતાઓ જ્યાં કહેશે તે સ્થળે અને સમયે હું જાહેરમાં ચર્ચા કરવા તૈયાર છું. હમણાં મારે પેપર નથી ફોડવું. એ જે સમય અને તારીખ આપશે તે દિવસે હું જાહેરમાં મારે જે પૂછવું છે તે ચૈતર વસાવાને પૂછીશ.