Published by : Rana Kajal
- વિવિઘ રાજ્યના લોકોને પણ કાશ્મીરમાં મકાન ફાળવવાની કરાયેલ શરૂઆત…
રાજ્યના લોકોને પણ કાશ્મીરમાં મકાન ફાળવણી શરૂ… ૩૭૦ અને ૩૫ A જેવી કલમો રદ કરાયા બાદ હવે દેશના વિવિઘ રાજ્યોના લોકો કાશ્મીરમાં કાયમી વસવાટ કરી શકશે…હાલમાં જ કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરમાં બહારના લોકોને મકાનોની ફાળવણી કરવાની જાહેરાત કરતાં પ્રાદેશિક પક્ષોએ વીરોધ કરવાની શરૂઆત કરી દીધી છે. જોકે જમ્મુ અને કાશ્મીરમાં કલમ ૩૭૦ તથા ૩૫ A હોવાના કારણે રાજ્ય બહારના લોકો સંપત્તિ ખરીદી શકતાં નહોતાં. પરંતુ આ કલમો દુર કરવામાં આવતા હવે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આર્થિક રીતે નબળા વર્ગના લોકોને ૩૩૬ ફ્લેટની ફાળવણી કરવાની સરકારે જાહેરાત કરી છે. પહેલા તબક્કામાં આ મહિનાના અંત સુધીમાં ૯૬ ફ્લેટની ફાળવણી કરાશે. દરેક ફ્લેટ ૨૯૦ ચોરસફૂટના છે અને દર મહિને રૂ. ૨૨૦૦ ભાડું નક્કી કરાયું છે. શરૂઆતમાં ૩ વર્ષ માટે ફાળવણી કરાશે. સરકાર બહારના લોકોને ફાળવવા માટે ૧૦ હજાર આવાસ બનાવવાની છે. જમ્મુ, સાંબા, ગંદેરબલ, બાંદીપોરા વગેરે સ્થળે એફોર્ડેબલ આવાસોનું નિર્માણ કરાશે એમ જણાવાયું છે