Published by: Rana kajal
સામાન્ય રીતે સમાજમાં મહિલાને અબળા કહેવાય છે. પરંતું હવે તો પુરૂષો પણ અન્યાય નો ભોગ બની રહ્યા છે તેથી પુરૂષો પણ અબળો કે બિચારો કહેવો પડે તેવા દિવસ આવી રહ્યા છે…જેમકે દિલ્હીની આત્મારામ સનાતન ધર્મ કોલેજની આર્ટસ ની સ્ટુડન્ટ આયુષી ભાટિયાએ છેલ્લા એક વર્ષમાં અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં 7 બળાત્કારના કેસ નોંધાયા હતા, પરંતુ આ બધા ખોટા બળાત્કારના કેસ હતા. આયુષીએ પોલીસની સામે કબૂલ્યું કે તે બળાત્કારના ખોટા આરોપો લગાવીને છોકરાઓ પાસેથી પૈસા પડાવતી હતી. તેણે એમ પણ જણાવ્યું કે તે કેવી રીતે જીમ, ઇન્સ્ટા, ઓનલાઈન ડેટિંગ એપ્સ પર 20 થી 22 વર્ષની વયના છોકરાઓ સાથે મિત્રતા કરતી હતી અને તેને મળતી હતી. છોકરા સાથે શારીરિક સંબંધ અને કોઈ સાથે પ્રેમનું વચન આપ્યા બાદ તે તેના પર બળાત્કારનો આરોપ લગાવતી હતી. સૌથી નવાઈની વાત એ છે કે તેણે એક વર્ષમાં પોલીસ સ્ટેશનોમાં રેપના 7 ખોટા કેસ નોંધાવ્યા હતા. તો મેરઠની એક મહિલાએ સરકારી હોસ્પિટલનું નકલી મેડિકલ સર્ટિફિકેટ બનાવીને તેના પતિ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો હતો. મહિલાની વાત પર આવીને પોલીસે તેના પતિની પણ ધરપકડ કરી હતી, પરંતુ બાદમાં કેસની તપાસમાં જાણવા મળ્યું હતું કે મહિલાના બિજા-પુરુષ સાથે ગેરકાયદેસર સંબંધો હતા અને જેના માટે પતિ તેને મનાઈ કરતો હતો. પતિને ભગાડવા માટે મહિલાએ આ પ્લાન બનાવ્યો અને તેના પતિને ખોટા કેસમાં ફસાવીને તેને જેલમાં ધકેલી દીધો હતો.
બળાત્કાર એ જઘન્ય અપરાધ છે, પરંતુ તેનાથી પણ વધુ ઘૃણાસ્પદ એ છે કે કોઈ નિર્દોષ વ્યક્તિને બળાત્કારી તરીકેનું લેબલ લગાડવું કારણ કે અહીં નિર્દોષ વ્યક્તિની પ્રતિષ્ઠા દાવ પર લાગે છે, તેની સાથે તેનું જીવન પણ નર્ક બની જાય છે. ઘણીવાર એવું પણ જોવા મળે છે કે ઘરેલું ઝઘડાઓને અતિશયોક્તિ કરીને ગુનામાં ફેરવી દેવામાં આવે છે. ઘણા કિસ્સાઓમાં, પાડોશી સાથે ઝઘડો ગટરને લઈને શરૂ થાય છે અને અંતે બળાત્કારના કેસમાં ફેરવાય છે. ઘણા કિસ્સામાં એવું પણ જોવા મળ્યું છે કે જ્યારે કોઈ વ્યક્તિ તેની લોનના પૈસા માંગવા જાય છે ત્યારે તેને બળાત્કાર જેવા જઘન્ય ગુનામાં ફસાવવામાં આવે છે. આ ઉપરાંત પૈસા, જમીન અને મિલકત પડાવી લેવા, દુશ્મનાવટ કાઢવા અને હેરાન કરવા માટે ખોટા કેસ કરવામાં આવે છે. કોર્ટમાં કેસોની ભરમાર છે. મહિલાઓની સુરક્ષા માટે બળાત્કાર, દહેજ વગેરે કાયદા જરૂરી છે. પરંતુ ક્યાંકને ક્યાંક કેટલીક મહિલાઓને હથિયાર બનાવીને આ કાયદાનો દુરુપયોગ કરી રહી છે. ઍક રિપોર્ટ અનુસાર ભારતમાં વર્ષ 2015માં લગભગ 1,33,623 લોકોએ આત્મહત્યા કરી હતી. જેમાં 91,528 એટલે કે 68 ટકા પુરૂષો અને બાકીના 42,088 મહિલાઓ હતી. તે 91,528 પુરુષોમાંથી 24,043 પુરુષો એવા હતા જેમણે કૌટુંબિક સમસ્યાઓના કારણે આત્મહત્યા કરી હતી. જ્યારે 67,485 પુરુષોએ માનસિક અત્યાચાર અને બનાવટી પોલીસ કેસના કારણે આત્મહત્યા જેવા પગલા ભર્યા હતા. આ આંકડા ઘણું બધું કહી જાય છે….