Home News Update My Gujarat હાલની કાતિલ ઠંડીના દિવસોમાં જાણવું મહત્વનું…બાળકો કેટલી ઠંડી સહન કરી શકે?… હૃદય...

હાલની કાતિલ ઠંડીના દિવસોમાં જાણવું મહત્વનું…બાળકો કેટલી ઠંડી સહન કરી શકે?… હૃદય ક્યારે બંધ થઈ જાય?… આ 5 સંકેતથી ચેતવું જરૂરી

0

Published by : Rana Kajal

ગુજરાતમા હાલ કાતીલ ઠંડીનું વાતાવરણ છે તેવા સમયે બાળકોને ઠંડીથી સુરક્ષીત રાખવા માટે કેટલીક મહત્વની બાબતો જાણવી ખૂબ મહત્વની છે….

હાલમાં રાજકોટમાં એક વિદ્યાર્થિનીના મોતની ઘટનાએ  લોકોને ચોંકાવી દીધા છે. રિયા નામની વિદ્યાર્થિની ગોંડલ રોડ પર આવેલી એ.વી. જસાણી સ્કૂલમાં ભણતી હતી. ગત મંગળવારે વર્ગખંડમાં પહોંચતા જ અચાનક રિયા ધ્રૂજવા લાગી હતી. તેની સાથે ભણતા બાળકો કાંઈ સમજે એ પહેલાં જ રિયા બેભાન થઈને ઢળી પડી. રિયાને સારવાર માટે હોસ્પિટલ તો લઈ જવામાં આવી, પરંતુ તે બચી ન શકી. રિયાની માતાનું કહેવું છે કે તેમની દીકરીનું ઠંડીના કારણે મોત થયું છે અને તબિયત ખરાબ થયાના માત્ર 10 મિનિટના સમયગાળામાં જ રિયા મૃત્યું પામી…

આવી સ્થિતિમાંએ જાણવું જરૂરી બની જાય છે કે શું ઠંડીના કારણે 10 મિનિટમાં જ કોઈનો જીવ જઈ શકે છે? જો આપણાં શરીરથી ઠંડી સહન ન થાય તો શરીર કયા સંકેત આપે છે? ઠંડીમાં શરીર ધ્રૂજે તો સારું કહેવાય કે ચિંતા કરવી જોઈએ?

સાથે જ  કુદરતી સેન્સર’ શરીરનું કેવી રીતે રક્ષણ કરે છે? તે પણ જાણવું જરૂરી છે  કુદરતે આપણા શરીરમાં ઘણા ‘સેન્સર’ મૂક્યા છે. ઠંડી, ગરમી, રંગ, ગંધ, સ્પર્શ, સ્વાદ જેવી ઘણી બધી બાબતો આપણે આ જ સેન્સરની મદદથી અનુભવી શકીએ છીએ. આ સાથે જ એક કુલિંગ સિસ્ટમ પણ કુદરતે આપણને બક્ષી છે, જે આપણા શરીરનું તાપમાન નિયંત્રિત કરી રાખે છે. આપણા શરીરનું સામાન્ય તાપમાન 98.6 ડિગ્રી ફેરનહીટ કે પછી 37 ડિગ્રી સેલ્સિયસ રહેતું હોય છે. કોઈ વ્યક્તિ રણપ્રદેશમાં રહે કે પછી હિમવર્ષાવાળા પ્રદેશમાં હોય, બાળકથી લઈને વૃદ્ધ સુધીના લોકો હોય, આપણી શરીરની બનાવટ જ એવી છે કે બધા જ લોકોનું આંતરિક તાપમાન લગભગ એકસરખું જ રહેતું હોય છે. શરીરના કુદરતી કુલિંગ સિસ્ટમના કારણે શરીરની અંદરના તાપમાનમાં કોઈ મોટો ફેર પડતો નથી. પરંતુ ઠંડી કે ગરમી સહન કરવાની ક્ષમતા એક વ્યક્તિની બીજા કરતાં ઓછી વધતી હોઈ શકે છે.

બહારના તાપમાન સામે શરીર કેવી રીતે લડે છે? તે અંગેની વિગત જોતા

જ્યારે આપણને ઠંડી લાગે ત્યારે ચામડીમાં રહેલાં નર્વ સેલ્સ આપણા મગજને સિગ્નલ મોકલે છે. નર્વ સેલ્સ દ્વારા આપવામાં આવેલી જાણકારી પર આપણું મગજ બે પ્રકારે પ્રતિક્રિયા આપે છે. સૌથી પહેલા તો રક્તવાહિનીઓને કડક કરી નાખે છે, જેથી લોહીનો પ્રવાહ ઓછો થઈ જાય અને આ ઠંડી બાકીના ભાગમાં ફેલાઈ ન શકે. જો ઠંડી ખૂબ વધારે હોય, તો બીજો વિકલ્પ આવે છે માંસપેશિયોમાં ધ્રૂજારી.  શરીરમાં ધ્રૂજારીના કારણે ઊર્જા ઉત્પન્ન થાય છે, એટલે આ ગરમીના લીધે શરીરનું તાપમાન કાબૂમાં આવી શકે છે. તે સાથે

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version