Published By:-Bhavika Sasiya
- ગુજરાત રાજ્યની સહકારી ક્ષેત્રમાં ચકચાર મચાવનાર દૂધસાગર ડેરીના પુર્વ ચેરમેન વિપુલ ચોધરીનાં કેસમાં નવો વળાંક આવ્યો છે તેમની સજા સ્થગીત કરી કોર્ટે જામીન મંજુર કર્યાં છે.
આ અંગે વધુ વિગતે જોતા મહેસાણાની સેશન્સ કોર્ટે રાજ્યના ભૂતપૂર્વ ગૃહપ્રધાન અને દૂધસાગર ડેરીના ભૂતપૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીને છેતરપિંડીના કેસમાં તેની સાત વર્ષની સજાને સ્થગિત કરીને જામીન મંજૂર કર્યા છે. મેજિસ્ટ્રેટ કોર્ટે ગયા અઠવાડિયે વિપુલ ચૌધરી અને અન્ય 14ને ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 420 (છેતરપિંડી) હેઠળ દોષિત ઠેરવ્યા હતા અને તેમને સાત વર્ષની જેલની સજા ફટકારી હતી. વિગતે જોતા વિપુલ ચૌધરી પર એવો આરોપ છે કે તેઓએ છેતરપિંડી કરી 2014માં દૂધસાગર ડેરીને 22.50 કરોડનું નુકસાન કર્યુ હતું. જે અંગે દાખલ કરાયેલી અપીલની સુનાવણી કરતા ટ્રાયલ કોર્ટની સજાને સસ્પેન્ડ કરી હતી અને પૂર્વ મંત્રી અને અન્ય 14 લોકોને જામીન આપ્યા હતા. અત્રે નોંધવું રહ્યું કે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી રહી ચૂકેલા વિપુલ ચૌધરી પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના નજીકના ગણાય છે. 55 વર્ષીય વિપુલ ચૌધરી ગુજરાત ડેરીના રાજકારણના મોટા અને મહત્વપૂર્ણ ચહેરાઓમાંના એક છે. આ સાથે ચૌધરી ઉત્તર ગુજરાતમાં પણ સમાજના મોટા નેતા ગણાય છે.