વસ્તી નિયંત્રણ કાયદા અંગે અગાઉ પણ કેન્દ્રિય મંત્રી ગિરિરાજ સિંહે સમર્થન જાહેર કર્યું હતું. તેવામાં હાલમા બિહારના બેગુસરાઈમાં કેન્દ્રિય મંત્રી ગિરિરાજ સિંહે જણાવ્યું હતું કે ભારત જેવા દેશ કે જેમાં દરેક સંશાધનો સીમિત છે તેવા સમયે વસ્તી નિયંત્રણ અંગે ગંભીર પણે વિચાર કરવો રહયો સાથે જ કેન્દ્રિય મંત્રી ગિરિરાજ સિંહે જણાવ્યું હતું કે ભારત દેશમા દર મિનિટે 30 બાળકો જન્મી રહ્યાં છે.આ આંકડો ચિંતાજનક બાબત છે જ્યારે પાડોશી દેશ ચીને વન ચાઈલ્ડ પોલિસી અપનાવી જેથી હાલ ચીનમાં દર મિનિટે 10 બાળકો જન્મી રહ્યા છે.