Published by : Rana Kajal
- બળાત્કાર થતો રોકવા કબરો પર તાળા મારતા માબાપ…
પાકિસ્તાનમાં હેવાનિયતની તમામ હદને વટાવી કેટલાક હવસખોરો કબર માથી મહિલાઓના મૃતદેહ બહાર કાઢી બળાત્કાર ગુજારી રહ્યાં છે તો આવા બનાવો રોકવા મા બાપ તેમની પુત્રીઓની કબર પર તાળા સાથેના દરવાજા મુકાવી રહ્યા છે… પાકિસ્તાનના ધ ડેઇલી ટાઈમ્સ માં પ્રકાશિત એહવાલ મુજબ પાકિસ્તાનમાં બળાત્કારની ઘટનાઓ વધી રહી છે સાથે જ તંત્રી લેખમાં સ્ફોટક માહીતી આપતા જણાવાયું છે કે મૃત પામેલ ઓછી ઉમરની મહિલાઓ અને પુત્રીઓના મૃતદેહો કબરો માથી બહાર કાઢી બળાત્કાર ગુજારવામાં આવી રહ્યા છે. આવી ઘટનાઓ અંગે પાકિસ્તાન માંજ ફિટકાર ની લાગણી ફેલાઇ ગઇ છે. મુસ્લિમ માથી નાસ્તિક બની ગયેલા હેરિસ સુલતાને આવી ઘટનાઓને વખોડી નાખી છે. તે સાથે કબ્રસ્તાનના રખેવાળ એવા રિઝવાન નામના શખ્સે આવી ઘટનાઓ બની છે તેમ જણાવતા પાકિસ્તાનમાં હલચલ મચી ગઈ હતી.